આખું ગુજરાત નહીં પણ ભારત જોતું રહી જાય એવી રેલી, “પાણી આપો પાણી આપો”ના નારા સાથે 25 હજાર કરતા પણ વધારે ધરતીપુત્રો મેદાને

Lok Patrika
By Lok Patrika
Share this Article

પાલનપુર, ભવર મીણા: જિલ્લા માં પાણી ના મુદ્દે ધરતીપુત્રો એ અનેક રેલીઓ યોજી સરકાર અને તંત્ર ને રજુઆત કરી છે પરંતુ ઠાલા વચનો થી ત્રસ્ત ખેડૂતો એ ગુરુવારે પૂન રેલી યોજી આવેદનપત્ર આપવા મજબુર બન્યા હતા. કરમાવદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં પાણી ભરવાની માંગને લઈને આજે કિસાન સંઘનાં નેજા હેઠળ 25 હજાર જેટલા ખેડૂતોએ પાલનપુરમાં રેલી યોજીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.

જિલ્લા ના 125 ગામના 25 હજાર જેટલા ખેડૂતોએ ટ્રેકટર રેલી સ્વરૂપે પાલનપુર પહોંચી અને પાલનપુર આદર્શ હાઇસ્કુલ થી કલેકટર કચેરી સુધી બે કિલો મીટરની પદયાત્રા કરી આવેદનપત્ર પાઠવ્યું. વડગામ તાલુકાનું કરમાવદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં પાણી ભરવાની માંગને લઈને આજે કિસાન સંઘનાં નેજા હેઠળ 25 હજાર જેટલા ખેડૂતોએ પાલનપુરમાં રેલી યોજીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

કરમાવદ તળાવમાં પાણી ભરવાની માંગ છે અને આ માંગણી ન સંતોષાતા આખરે ખેડૂતો જળ આંદોલનના માર્ગે પહોંચ્યા હતા અને આજે હજારો ખેડૂતો એ પાલનપુર શહેરમાં મહારેલી યોજીને કલેકટરને તળાવ ભરવા માટે રજૂઆત કરી હતી. છેલ્લા 25 વર્ષ થી કરમાવાદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં પાણી ભરવાની ખેડૂતો નીઅંગ હતી જોકે આ માંગનાં સંતોષાતા ખેડૂતો એ આંદોલન નો માર્ગ અપનાવ્યો છે પાલનપુર અને વડગામ તાલુકામાં પાણીની સમસ્યા વિકટ છે ત્યારે પાલનપુર અને વડગામ તાલુકામાં સિંચાઈના પાણીનો લાભ મળી રહે એ હેતુથી છેલ્લા 25 વર્ષથી વડગામ તાલુકાનું કરમાવદ તળાવ ભરવાની માંગ છે.

એક માસ અગાઉ કરવા કરમાવદ તળાવમાં કળશ પૂજન કરી અને ખેડૂતોએ જળ આંદોલનના મંડાણ કર્યા હતા જો કે છેલ્લા એક માસથી વડગામ અને પાલનપુર તાલુકાના 125 ગામડાઓમાં રાત્રી સમર્થન સભાઓ યોજી અને ખેડૂતોને રેલીમાં જોડાવા માટે આહવાન કરાયું હતું ત્યારે આજે 125 ગામના 25 હજાર જેટલા ખેડૂતોએ ટ્રેકટર રેલી સ્વરૂપે પાલનપુર પહોંચી અને પાલનપુર આદર્શ હાઇસ્કુલ થી કલેકટર કચેરી સુધી બે કિલો મીટર ની પદયાત્રા કરી અને મહારેલી યોજી હતી અને કલેકટરને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી હતી કે સરકાર કરમાવદ તળાવમાં પાણી ભરી આપે

હજારો ખેડૂતો એ કરમાવદ તળાવ ભરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી હતી જોકે કલેક્ટરે પણ ખેડૂતોને બાંહેધરી આપી હતી અને કરમાવદ તળાવમાં પાણી ભરાય તે માટે તમામ પ્રયત્નો ની ખાતરી પણ આપી હતી.

કરમાવદ તળાવ માં પાણી ભરવા માટે ફોરેસ્ટ વિભાગ અને તાંત્રિક મંજુરી પણ જરૂર પડતી હોય છે ત્યારે ખેડૂતોની માગણી કલેકટર સરકાર સુધી પહોંચાડશે અને ખેડૂતોના હિતમાં નિર્ણય આવે તેવા પ્રયત્નો કરાશે.

છેલ્લા એક માસથી જલ આંદોલન માટે ખેડૂતો ગામેગામ સભાઓ યોજી ખેડૂતો ને જાગૃત કર્યા હતા.જેમાં આજે જલ આંદોલનમાં ખેડૂત મહેરામણ ઉમટી પડ્યું હતું આજે અંદાજે 25 હજાર જેટલા ખેડૂતોએ મહારેલી માં જોડાઇ કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું છે જોકે આ બાબતે જિલ્લા કલેકટરે પણ ખેડૂતોનાં પાણીનાં પ્રશ્નને લઇ સરકાર સુધી રજૂઆત પહોંચાડી તમામ પ્રયત્નો ની ખાતરી આપી હતી ત્યારે છેલ્લા 25 વર્ષથી તળાવ ભરવાની માંગ છે અને આ માંગણી ન સંતોષાતા ખેડૂતો જલ આંદોલનના માર્ગે વળ્યા છે અને હવે જોવુ એ રહ્યું કે કરમાવદ તળાવ ભરવા માટે સરકાર તરફથી કયા પગલાં લેવાય છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly