Gujarat News: ભાજપે રાજકોટની બેઠક પરથી કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ તેમના નિવેદનથી ક્ષત્રિયોનો રોષ આખા ગુજરાતે જોયો અને આખા ભારતમાં તેની ચર્ચા પણ થઈ. રૂપાલાના આ નિવેદન બાદ ક્ષત્રિયો એક જ માંગ કરી રહ્યા છે કે, રાજકોટની બેઠકના ઉમેદવાર બદલવામાં આવે. જો કે એવું કંઈ થયું નહીં અને આજે રૂપાલા રાજકોટથી ઉમેદવારી ફોર્મ પણ ભરી આવ્યા છે.
ત્યારે આજે રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભરીને વાત કરી કે મંચ પર ઉપસ્થિત ક્ષત્રિય સમાજના અમારા આગેવોનોનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું સમગ્ર ક્ષત્રિય સમાજને પણ વિનંતી કરવાના મતનો છું કે, અમારે આપ સૌના સાથની પણ જરૂર છે. દેશના હિત માટે, રાષ્ટ્રના હિત માટે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આપ સૌ પણ જોડાવો એવી નમ્ર વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.’
ઉલ્લેખનીય છે કે ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા આજે રાજકોટમાંથી ઉમેદવારી નોંધાવી દીધી છે. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સવારે જાગનાથ મંદિર ખાતે દર્શન કર્યા હતા. જે બાદ તેમણે સમર્થન રેલી પણ યોજી હતી. જેમા તેમની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જોડાયા હતા.
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની સીધી અસર સોના-ચાંદીના ભાવ પર થશે, ટૂંક જ સમયમાં 1 લાખનું એક તોલું થઈ જશે
6,6,6,2… મહેન્દ્ર સિંહ ધોનીએ માત્ર 4 બોલમાં આખી મેચ પલટી નાખી, હાર્દિક પંડ્યા ટગર-ટગર જોતો રહી ગયો
સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં પોલીસનો સૌથી મોટો ખુલાસો, આરોપીનું જબરું કનેક્શન બહાર આવતા હાહાકાર
ત્યારે હવે આગળ જોવાનું એ રહ્યું કે ક્ષત્રિય સમાજનું આંદોલન કઈ દિશામાં આગળ વધે છે.