આવાને સાધુ કેમ કહેવા? ગિરનારના પીઠાધીશ્વર જયસીકાનંદ માતાજી પર એક સાધુ તલવાર લઈને મંડાઈ પડ્યા, ફિલ્મ માફક હુમલો કર્યો

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

જૂનાનગઢમાં ગિરનાર ક્ષેત્રને સાધુઓનુ પિયર કહેવામા આવે છે. આ ધરતી અનેક સાધુસંતોના તપથી પાવન થયેલી છે. આ વચ્ચે પીઠાધીશ્વર જયસીકાનંદ માતાજી પર હુમલો થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ વિશે વિગતે વાત કરીએ તો ગિરનાર ક્ષેત્રના પીઠાધીશ્વર જયસીકાનંદ માતાજી પર એક અજાણ્યા સાધુએ તલવાર લઈને હુમલો કર્યો છે.

પીઠાધીશ્વર જયસીકાનંદ માતાજી પર અજાણ્યા સાધુએ હુમલો કર્યો

આ બાદ તેઓ ગંભિર રીતે ઘાયલ થયા હતા. હાલ તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. પીઠાધીશ્વર જયસીકાનંદ માતાજી પર હુમલો થયો હોવાની માહિતી મળતા જ સાધુ-સંતો પણ હોસ્પિટલે દોડી આવ્યા છે.

VIDEO: અમે કોંગ્રેસને ખરાબ માનતા’તા, તમે તો એનાથી પણ બદ્દતર છો… ભાજપના MLA ને ગામલોકોએ મનફાવે એવી સંભળાવી

“2014માં અદાણી અમીરોની યાદીમાં 609માં નંબરે હતા અને પછી એવો શું જાદુ થયો કે સીધા બીજા નંબરે આવી ગયાં”

વારા પછી વારો, મારા પછી તારો…. હવે અમીરોની યાદીમાં અંબાણીનો ફગોળિયો થયો, અદાણી ખાલી આટલા નંબર જ પાછળ

મળતી માહિતી મુજબ ઈન્દ્રભારતી બાપુ પણ આ સમયે હોસ્પિટલ પહોંચ્યાં છે. આ ઘટના બાદ સમગ્ર સાધુ-સંતો નારાજ છે. આ દરમિયાન પોલીસ પણ હોસ્પિટલલે દોડી આવી હતી અને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

 


Share this Article