Gujarat News: સાતમ આઠમ આવે એટલે લોકોમાં નવો જ ઉત્સાહ જોવા મળતો હોય છે. એમાં પણ કાઠિયાવાડમાં લોકોનો હરખ ક્યાંય સમાતો નથી હોતો. કારણ કે એટલા બધા મેળા ભરાય છે કે લોકોને મોજ પડી જાય છે. એવો જ એક વર્ષોથી પ્રખ્યાત મેળો એટલે કે પોરબંદરનો મેળો. પરંતુ પોરબંદર નગરપાલિકા આયોજિત લોકમેળાનો આ વખતે ફિયાસ્કો થયો હોવાનું સામે આવી રહ્યું છે.
જે દ્રશ્યો મેળામાં જોવા મળ્યા હતા એ દ્રશ્ય તો એવું જ કહે છે કે પોરબંદરમાં ઉદ્ઘાટનના દિવસે મેળો ખાલીખમ જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે એકપણ ચકડોળ શરુ ન કરાતા પર્યટકોમાં નારાજગીનો માહોલ છવાયો હતો. જો કે આ ચકડોળ સંખ્યાના કારણે શરૂ ન થયું હોવાનું પણ લોકો કહી રહ્યા છે. તો વળી અમુક લોકો ચકડોળના લાઇસન્સના અભાવે ચકડોળો બંધ જોવા મળ્યા હોવાનું કહી રહ્યા છે. બીજી તરફ અધિકારી દ્વારા સંતોષકારક જવાબ આપવામાં ન આવતા લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો. ત્યારે આજે બીજા દિવસે કેવો માહોલ રહે છે એ જોવાનું રહ્યું.
જો કે મેળો શરૂ થાય એ પહેલા વિવાદ પણ સામે આવ્યો હતો. પોરબંદર જન્માષ્ટમી મેળો શરૂ થાય તે પહેલાં જ વિવાદ સામે આવ્યો હતો. પાથરણાંવાળાને હટાવતાં કોંગ્રેસે વિરોધ કર્યો હતો. પોરબંદરમાં ચોપાટી પર યોજાતો જન્માષ્ટમી લોકમેળો વિવાદી બનતા ચર્ચાનો વિષય તો હતો જ.
આજે આ 4 રાશિના લોકોને ભવોભવની ભૂખ ભાંગી જશે, હજાર હાથે કૃષ્ણ ભગવાન કૃપા વરસાવશે, ધનનો ઢગલો થઈ જશે!
મેળામાં પાંચ દિવસ દરમિયાન પાથરણાંવાળા ધંધાર્થીઓને આ વર્ષે હટાવી દેવામાં આવતાં રોષ ફેલાયો હતો. તેઓએ પોરંબદર કોંગ્રેસ આગેવાનને સાથે રાખી નગરપાલિકાએ જઇ ઉગ્ર રજૂઆત પણ કરી હતી.