કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિ ખુદના વતનથી કે દેશથી ગમે તેટલો દૂર જઈને વસે પણ એના હૃદયમાં એનું બાળપણ અને કિશોરાવસ્થા હમેશાં ધબકતી હોય છે.
લગભગ ચાર દાયકાથી USA માં સ્થાયી થયેલ સિવિલ એન્જિનિયર અને આર્કિટેક્ટ પ્રકાશ પટેલે તા.11 જૂન 2025 ના રોજ જે શાળામાં તેઓ SSC સુધી ભણ્યા હતા, એ ગિરધરનગર શાહીબાગ માધ્યમિક શાળામાં જાણીતા લેખક પ્રફુલ્લ કાનાબાર લિખિત પુસ્તક ‘રામાયણ કવિઝ’ ધો.9 ના તમામ 245 વિધાર્થીઓને એમના માતા પિતાની સ્મૃતિમાં ભેટ આપ્યું હતું. ફોટામાં વિદ્યાર્થીઓની સાથે શાળાના ઉત્સાહી વાઇસ પ્રિન્સિપાલ શ્રી અશોકભાઈ પટેલ દ્રષ્ટિમાન થાય છે.