આવતી કાલથી સતત 5 દિવસ સુધી ગુજરાતમાં અત્ર, તત્ર, સર્વત્ર વરસાદની આગાહી, આ વિસ્તારમાં તો મેઘો મન મુકીને તૂટી પડશે

Lok Patrika
By Lok Patrika
Share this Article

રાજ્યમાં હજુ પણ વરસાદની આગાહી સામે આવી છે. રાજ્યના કેટલાંય વિસ્તારોમાં હજુ પણ વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે. ત્યારે આગામી પાંચ દિવસ કેટલાંક વિસ્તારોમાં વરસાદની આગાહી સામે આવી છે. ફરી એક વાર વરસાદી માહોલ જામશે અને પાંચ દિવસ સુધી ભારેથી મધ્યમ વરસાદની આગાહી છે. તો આગામી બે દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. આ સિવાય આગામી ૨૨ ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જાેર વધશે. ત્યારે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદમાં મધ્યમ વરસાદ પડી શકે છે.

\પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાજ્યના કેટલાંય જિલ્લાઓમાં હજુ પણ વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે. રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ભારેથી મધ્યમ અને હળવો વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ જામશે એવા રિપોર્ટ સામે આવ્યા છે. રિપોર્ટનું માનીએ તો રાજ્યમાં પાંચ દિવસ કેટલાંક વિસ્તારોમાં ભારેથી તો કેટલાંક વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે. આ સિવાય આગામી બે દિવસ સામાન્ય વરસાદની વકી છે. ૨૨ ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જાેર ઘટે એવી શક્યતા છે.

તો વરસાદની આગાહીના પગલે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય અમદાવાદમાં મધ્યમ વરસાદ પડી શકે છે. એવી પણ આગાહી છે કે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય પાટણ, નવસારી, સુરત, વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદમાં મધ્યમ વરસાદ રહે એવી વકી છે. આ સિવાય માછીમારોને પણ સૂચના આપી દેવામાં આવી છે કે, ૨૨-૨૩ ઓગસ્ટે તેઓ દરિયો ન ખેડે.

સાથે જ તાજેતરમાં પડેલા વરસાદ બાદ રાજ્યના નદી-નાળા અને ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે. નદી-નાળા સહિત ડેમ પાણીથી છલકાયા છે. મહત્વનું છે કે, દરિયામાં સિસ્ટમ સક્રીય થતા રાજ્યમાં વરસાદી માહોલ જામતો હોય છે. જેના પગલે દરિયામાં કરંટ જાેવા મળતો હોય છે. એટલે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવતી હોય છે. સાથે જ તાજેતરમાં જ રાજ્યના વિવિધ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો.

અરવલ્લી, ભીલોડા, સુરત, વલસાડ, ડીસા, સાબરકાંઠા, બનાસકાંઠા વગેરે વિસ્તારમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર વરસાદી પાણી ફરી વળ્યા હતા. તાજેતરમાં વરસેલા વરસાદ દરમિયાન અંબાજીના ગબ્બર પર ભેખડો ધસી જવાની ઘટના બની હતી. આ સિવાય પાલનપુર આબુ હાઈવે પર વાહન વ્યવહાર પણ અટવાયો હતો. ભારે વરસાદ બાદ નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યા હતા. જે બાદ પાલનપુર-આબુ હાઈવે એક તરફથી બંધ કરી દેવામાં આવ્યો હતો. એવા રિપોર્ટ સામે આવ્યા હતા કે હાઈવે પર ચાર ફૂટ જેટલા પાણી ફરી વળ્યા હતા. જેથી હાઈવે પર નાના વાહનોની અવર જવર બંધ કરી દેવામાં આવી હતી. સાથે જ લાંબો ટ્રાફિક જામ થયો હતો.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly