હાલમાં જ અભિનેત્રી ઉર્વશી સોલંકીએ એક સ્ટેજ પરથી એવું કહ્યું કે ગુજરાતના ગરબા આખા વર્લ્ડમા ફેમસ છે. ગુજરાતમાં કોઇ છોકરીને આઈ લવ યુ કહેવું હોય તો આપણે વેલેન્ટાઇન નહીં પરંતુ નવરાત્રીની રાહ જોતા હોઈએ છીએ. આ પછી ઉર્વશીએ યુવાનોને મોટેથી પૂછ્યું કે ઉર્વશી “રાઈટને? આમાંથી કેટલા જણાએ આ 4 દિવસમાં આવું કર્યું?” જોકે ભીડમાંથી તેને જોઈતો જવાબ ન મળ્યો. તે બોલી કે 9 દિવસ તમે ગરબા રમો અને છેલ્લા દિવસે પણ તમે સિંગલ હોવને તો પાક્કું તમે ગરબા જ રમ્યા છો. ત્યારે હવે આ વાત પર રાજભા ગઢવીએ વળતો ઉત્તર આપ્યો છે.
ઉર્વશી સોલંકીના નિવેદન પર રાજભા ગઢીએ કહ્યું કે હવે લોકો નવરાત્રિને લવરાત્રિ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આપણે સૌએ જાગવું જોઈએ. આ પવિત્ર અને શક્તિની ઉપાસનાનો તહેવાર છે. સેટિંગના અડ્ડા ના બનાવો. એ નારી છે એટલે આપણે કંઈ વધારે કહી શકતા નથી, પરંતુ આપણે સૌએ જાગવું પડશે, આવું ને આવું ક્યાંક સુધી આપણે સહન કરતા રહીશું.
જો કે ઉર્વશી સોલંકીએ જવાબ આપ્યો કે હું પણ મા દુર્ગાની ભક્ત છું, મારા શબ્દોને તોડી મરોડીને રજૂ કરાયા છે. મે કહ્યુ હતુ ગુજરાતના ગરબા આખા વિશ્વમાં પ્રખ્યાત છે. મે મારા શબ્દોમાં વેલેન્ટાઈનની નિંદા કરી છે. મે કહ્યુ હતુ નવ દિવસ રમ્યા તો ગરબા જ રમ્યા એમાં શુ ખરાબ બાબત છે ? આ સાથે કહ્યું કે, નવરાત્રીમાં સમાજના બધા લોકો એકઠા થતા હોય છે.
હું બે વાર હારી છું, જો આ વખતે હારી તો… આટલું કહીને ચોધાર આંસુએ રડવા લાગી કોંગ્રેસ મહિલા નેતા
આજથી પાંચ દિવસ કેવું રહેશે ગુજરાતનું હવામાન? વરસાદ આવશે કે ઠંડી પડશે? હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
તમારા બાળકોને ફોનથી અત્યારે જ કરી દો દૂર નહિતર પછતાવાનો વારો આવશે, રિસર્ચમાં સામે આવી નવી બીમારી!!
માતા-પિતા છોકરીઓને કહેતા હોય છે કે કોઈ સારો છોકરો મળે તો કે જે, સેટિંગ શબ્દ કહેવામાં મારો ભાવ ક્લિઅર હતો. માં દુર્ગાની સાક્ષીએ પવિત્ર બંધનમાં બંધાવ તો ખોટુ શુ ? આ સાથે ઉર્વશીએ કહ્યું કે, આ આજના જમાના પ્રમાણે સહજ વાતો છે. મે સ્ટેજ પરથી રમૂજ રીતે કહ્યુ હતુ.