રાજકોટમાં સિટી બસમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ મનપા સંચાલિત સિટી બસ સવારે ૯ વાગ્યાની આસપાસ ભક્તિનગર સર્કલ નજીક પહોંચીને સ્ટોપ પર ઉભી હતી. જાે કે, ફરીથી બસ સ્ટાર્ટ કરતા તેમાં અચાનક આગ લાગી હતી. આ સમયે બસમાં ૨ મુસાફરો સવાર હતા જાે કે ડ્રાયવર સમય સુચકતા કારણે તેમને મુસાફરોને નીચે ઉતારી દીધા હતા અને જાનહાની ટળી હતી. પરંતુ જાેતજાેતામાં જ આગળ ભડભડ સળગવા લાગી.
મીડિયા રિપોર્ટ અનુસાર આગ એટલી વિકરાળ હતી હતી કે બસની બાજુમાં પડેલું એક્ટિવા અને બાઈક પર ઝપેટમાં આવી ગયું હતું. પ્રાપ્ત અહેવાલો અનુસાર બસ ઉપાડવાનો સમય થતાં ડ્રાઈવરે સેલ માર્યો હતો. દરમિયાન વાયરિંગમાં શોર્ટસર્કિટ થતાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. બનાવને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
પરંતુ આગ એટલી વિકરાળ હતી કે બસનો આગળનો ભાગ બળીને ખાક થઈ ગયો.
ઉલ્લેખનીય ત્રણ દિવસ પહેલા સુરતના વરાછા વિસ્તારમાં એક ખાનગી ટ્રાવેલ્સમાં આગ લાગતા બે લોકોના મોત થયા હતા. વરાછામાં લક્ઝરી બસમાં લાગેલી આગની શાહી સૂકાઈ નથી ત્યાં હજીરામાં ખાનગી બસમાં આગ ફાટી નીકળી હોવાની ઘટના સામે આવી છે. જ્યાં પાર્ક કરેલી લક્ઝરી બસમાં બસમાં અચાનક આગ લાગી જતાં દોડધામ મચી ગઈ હતી. જાેત જાેતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બસ બળીને ખાક થઈ ગઈ હતી. જાેકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી મળી નથી.