રાજકોટઃ ગુજરાત ATSની તપાસમાં મોટો ખુલાસો, પકડાયેલા આતંકવાદીઓના નિશાના પર હતો જન્માષ્ટમીનો તહેવાર

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
ગુજરાત ATSએ મોટો ખુલાસો કર્યો
Share this Article

Gujarat News : બે દિવસ પહેલા રાજકોટમાંથી ઝડપાયેલા આતંકવાદીઓની પૂછપરછ દરમિયાન ગુજરાત ATSએ મોટો ખુલાસો કર્યો છે. ગુજરાતમાં આવનાર જન્માષ્ટમીનો તહેવાર આતંકવાદીઓના નિશાના પર હતો. સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવારનું વિશેષ મહત્વ છે, જેમાં પ્રવાસન સ્થળો, મંદિરો અને લોકમેળાઓમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. આથી આતંકવાદીઓએ (Terrorist) તકનો ફાયદો ઉઠાવીને કાવતરું ઘડ્યું હતું, પરંતુ ગુજરાત એટીએસ દ્વારા આ ષડયંત્રને નિષ્ફળ બનાવાયું છે.

એટીએસની તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે આતંકીઓએ રેલવે સ્ટેશનની રેકી પણ કરી હતી. ગુજરાત ATSએ આતંકવાદીઓ તેમના મિશનને અંજામ આપે તે પહેલા જ તેમને પકડી લીધા હતા અને હજુ ઘણા ખુલાસા આવવાની શક્યતા છે.આ સિવાય સોશિયલ મીડિયા (Social Media)ના માધ્યમથી ખુલાસો થયો છે કે તેઓ એકે 47 જેવા હથિયારોનો ઉપયોગ કરવાની ટ્રેનિંગ પણ લઈ રહ્યા છે. એટીએસ 10થી 12 શકમંદોની પૂછપરછ કરી રહી છે, જેમાં એક સાળો એટીએસના રડાર પર છે.

આ શહેરમાં માત્ર ને માત્ર 40 રૂપિયામાં કિલો એક ટામેટા મળે, લોકોએ દોટ મૂકી, જાણો શા કારણે બધાથી આટલા સસ્તા

ગુજરાતીઓ એટલે જ સારા ડોક્ટર પાસે જજો, આ જિલ્લામાં ડિગ્રી વગરના ડોક્ટરે ઈંજેક્શન મારતાં બાળકનું મોત, ચારેકોર હાહાકાર

શ્રાવણ મહિલા પહેલા જ મોટો ચમત્કાર, સપનું આપ્યું અને જોયું તો રાતોરાત વૃક્ષમાંથી શિવલિંગ બહાર આવ્યું, જોઈ લો તસવીર

એવું જાણવા મળ્યું છે કે વર્ષોથી સ્થાનિક ભાઈ-ભાભી, જે બંગાળી કારીગર તરીકે કામ કરે છે, તેમણે સહાય પૂરી પાડી છે. એટલા માટે એવી આશંકા છે કે ત્રણ આતંકવાદીઓની સાથે ત્રણ કટ્ટરપંથીઓ પણ આમાં સામેલ થયા છે.રાજકોટમાંથી પકડાયેલા ત્રણ આતંકવાદીઓના બેંક ખાતાની તપાસ કરવામાં આવી છે. આતંકવાદીઓના સંપર્કમાં રહેલા લોકો અને તેમના પરિવારોના બેંક ખાતાઓની પણ તપાસ કરવામાં આવશે. વિદેશમાંથી કોઈ ફંડિંગ છે કે કેમ તેની એટીએસ તપાસ કરશે.


Share this Article