રાજ્યભરમાં ભ્રષ્ટ્રાચારે માજા મૂકી છે અને તે હવે નાના એવા ગામો સુધી પોહોંચ્યો છે, જેતપુરના રેશમડી ગાલોલ ગામમાં એક મૃત્યુ પામેલ વ્યક્તિ સ્વર્ગમાંથી આવી ભૂત બનીને ગટર રીપેર કરીને તેની મજૂરીના પૈસા પણ મેળવી લે છે, અને તાલુકા પંચાયત દ્વારા માત્ર વહીવટી ગેરરીતિ કહેવામાં આવે છે. રાજકોટના જેતપુરમાં આવેલા રેશમડી ગાલોલ ગામમાં ભ્રષ્ટાચાર થયો છે. ગામના રહેવાસી મૃતક કેશુભાઈ ગટર રીપેર કરે છે અને તેમના નામના વાઉચર પણ બને છે. કેશુભાઈ ૨૦૧૮માં મૃત્યુ પામ્યા હતા અને તેઓના કામના વાઉચર ૨૦૨૧ના બનેલા છે.
આ વાઉચર પર તેમની ખોટી સહી કર્યાનો આક્ષેપ છે. અને રેશમડીગાલોલ ગ્રામ પંચાયતે કેશુભાઈના પુત્ર સાથેના સંયુક્ત બેન્ક ખાતામાં ૬૩૦૦ રૂપિયા જમા કર્યા છે. આ સમગ્ર મામાલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે ગામના જાગૃત નાગરિક ભરતભાઈ પાનસુરિયાએ RTI કરી. પરંતુ સવાલ એ છે કે ૨૦૧૮માં મૃત્યુ પામેલા કેશુભાઈ કેવી રીતે ગટર રીપેર કરી શકે? અને સહી કરવા શું તેમનું ભૂત આવે છે. આ કિસ્સો સીધેસીધો મોટા ભ્રષ્ટાચાર સામે ઈશારો કરે છે. જેતપુરના તાલુકા પંચાયતના TDO આ સમગ્ર ભ્રષ્ટાચારને છાવરતા હોય તેવો ઘાટ જાેવા મળ્યો.
તેઓના મતે સરપંચ અને તલાટી મંત્રી આ કૌભાંડ માટે જવાબદાર તો છે. પરંતુ આ કોઈ વહીવટી ગૂંચથી થયું હોવાનું કહીને ભષ્ટ્રાચારીને છાવરતા હોય તેવું સ્પષ્ટ જાેવા મળ્યું. આ ભ્રષ્ટાચાર સાથે કોણ સંકળાયેલું છે તે તટસ્થ તપાસ બાદ જ જાણી શકાશે. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના રેશમડી ગાલોલ ગામનો આ અજીબ કિસ્સો છે. ગામના રહેવાસી એવા કેશુભાઈ માધાભાઇ વઘાસીયા ૨૦૧૮ માં મૃત્યુ પામ્યા છે.
તેવો ફરી ૯ ફેબ્રુઆરી ૨૦૨૧માં એટલે કે ૩ વર્ષ ફરી જીવતા થાય છે અને રેશમડીગાલોળ ગ્રામ પંચાયતમાં ગામની ગટર રીપેર કરે છે અને તેના નામનું ૬૩૦૦ રૂપિયાનું વાઉચર બને છે, જેમાં મૃતક કેશુભાઈ ભૂત બનીને આવીને સહી કરે છે અને રેશમડીગાલોલ ગ્રામ પંચાયત તેને તેના પુત્ર સાથેના સંયુક્ત બેન્ક ખાતામાં જમા કરી આપે છે, આ કોઈ વાર્તા નથી પણ રેશમડીગાલોલ ગામ અને ગ્રામ પંચાયતમાં બનેલ સત્ય ઘટના છે, અને ગ્રામ પંચાયતમાં થયેલ ભ્રષ્ટ્રાચાર ખુલો પડયો છે, રેશમડીગાલોળ ગામના જાગૃત નાગરિક ભરતભાઈ પાનસુરિયાએ ઇ્ૈં કરી ને માહિતી માંગી હતી.