Gujarati News: ભારતમાં એટલી નકલી વસ્તુ જોવા મળી રહી છે કે જેનો કોઈ તોડ નથી. ત્યારે એ જ અરસામાં હાલમાં એક નકલી વસ્તુ ચારેકોર ચર્ચામાં છે. એ એટલે મોરબી વાંકાનેર હાઇવે પર બનાવેલું બોગસ ટોલનાકું. આ ટોલનાકાને લઈ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે, નવા ખુલાસા વિશે વાત કરીએ તો આ મામલે સિટી પોલીસે જેરામ પટેલના પુત્ર અમરશી પટેલ સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
તપાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે વ્હાઇટ હાઉસ સિરામીક કંપનીમાંથી આ ગેરકાયદેસર ટોલનાકું બનાવવામાં આવ્યું હતુ. આ સિરામીક કંપની સિદસર ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ જેરામ પટેલના પુત્ર અમરશીની હોવાનું સામે આવ્યું છે. જેથી જેરામ પટેલના પુત્ર અમરશી પટેલ સામે ગુનો નોંધાયો છે. આ કેસમાં આજે જેરામ પટેલે મીડિયા સાથે વાત કરી હતી. જેમા તેમણે જણાવ્યુ કે, ‘આ બંધ ફેક્ટરી અમારા પરિવારની છે અને અમે તેને ભાડા કરાર કરીને ભાડે આપેલી છે. ભાડે આપ્યા બાદ તેમણે ત્યાં શું કર્યુ હોય તે અમને ખબર નથી’
જેરામ પટેલે પોતાના પુત્ર વિશે પણ વાત કરી હતી કે અમરશીભાઇનો આ કંપનીમાં કોઇ ઇન્વોલમેન્ટ જ નથી. આ કંપીમાં તે ડાયરેક્ટર નથી કે નથી મેનેજિંગ ડિરેક્ટર નથી. અમરશીભાઇ મારી બીજી ફેક્ટરી છે તેમા બેસે છે. આમાં તેનું કોઇ જાતના લેવાદેવા નથી. આવી પ્રવૃત્તિ ઘણી ખરાબ કહેવાય અને અમે તેને કોઇ સપોર્ટ આપતા જ નથી.
રાજ્યમાં વરસાદનું જોર યથાવત, હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદ અને વાદળછાયા વાતાવરણની કરી આગાહી
કાળજાળ મોંઘવારીમાં તમને મળશે 50 રૂપિયા સસ્તો ગેસ સિલિન્ડર, બસ ખાલી આટલું કરવાનું રહેશે
જેરામ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ‘હજી અમે પોલીસને મળવા ગયા નથી. તો આજે હું પોલીસને મળવા જવાનો છું અને જે પણ કાંઇ હકીકત છે તે અંગે જાણ કરીશું. અમારી ફેક્ટરી ખાલી હતી તેમા કોઇ મશીનરી ન હતી. માત્ર શેડ હતો. જેથી જેને ભાડે આપી તેની સાથે અમે કોઇ ચોખવટ કરી ન હતી. લખાણમાં એવું કાંઇ નથી કે, અહીંથી તમારે વાહન પસાર કરવા અને ઉઘરાણું કરવું. આ પ્રકારની કોઇ શંકા પણ ન હતી અને કોઇ જાણ પણ ન હતી. તેમને ભાડેથી જોઇતી હતી એટલે ભાડેથી આપવામાં આવી હતી. લગભગ 11 મહિનાનો ભાડા કરાર છે. જોકે, અમારે જરૂર હતી એટલે છેલ્લા 10મા મહિનામાં અમે ભાડા કરાર રદ કરવા માટે કહ્યુ પણ હતુ અને નોટિસ પણ આપી હતી.