Gujarat News: અમદાવાદના મોટેરામાં આવેલ ક્રિકેટના મેદાનને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ આપવામાં આવ્યું હતું. પરંતુ આ સ્ટેડિયમને રિનેવેટ કર્યા બાદ તેને દુનિયાનું સૌથી મોટું ક્રિકેટનું મેદાન બનાવવામાં આવ્યું અને તે સાથે તેનું નામ સરદાર પટેલ સ્ટેડિયમથી બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું તે રીતે હવે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું છે.
શહેરના જામનગર રોડ પર સ્થિત ખંઢેરી સ્ટેડિયમના નામને બદલાવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ સ્ટેડિયમ ‘નિરંજન શાહ’ સ્ટેડિયમ તરીકે ઓળખાશે. રાજકોટમાં ગઈકાલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA)ની AGMની બેઠક થઈ હતી જેમાં કમીટીના હોદ્દેદારો અને સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા અને આ નામ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
નિરંજન શાહ વિશે વાત કરીએ તો રાજકોટમાં સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય વન-ડે મેચ લાવવાનો શ્રેય પણ નિરંજન શાહને જાય છે. રેસકોર્ષથી માંડી ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ સુધીની સફરના તેઓ ભાગીદારી રહ્યા હતા. નિરંજન શાહે પાંચ દાયકા સુધી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી તરીકે સેવા આપી છે. ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઇન્ડીયા (બીસીસીઆઇ)ના સેક્રેટરી તરીકે પણ નિરંજને બે વખત કામ કર્યુ છે. નિરજન શાહ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી તેમજ ચાર દાયકા સુધી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA)ના સેક્રેટરી રહી ચૂક્યા છે ત્યારે હવે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ક્રિકેટ જગતમાં નિરંજનભાઇ શાહનું મહત્વનું યોગદાન છે.
Gold Price: સોનું અને ચાંદી સસ્તા થયા, 1600 રૂપિયા ભાવ ઘટ્યા, શું દિવાળી સુધી ઘટાડો ચાલુ જ રહેશે?
ઉલ્લેખનીય છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની સૌથી પહેલી અને અંતિમ મેચ સિવાય ઘણી બધી મેચો રમાવાની છે, પરંતુ રાજકોટને એકપણ મેચ મળી નથી. જોકે, તાજેતરમાં જ વર્લ્ડકપ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝ રમાઈ હતી તેની અંતિમ મેચ રાજકોટમાં યોજાઈ હતી.