રાજકોટ મહાનગરપાલિકાનો મહાકાંડ, પ્રજા પાસેથી કરોડો રૂપિયાનો પાણી વેરો લઈ લીધો પણ સરકારને પાંચિયુ’ય ન આપ્યું, હવે સરકારે બરાબરના ભીંસમાં લીધા

Lok Patrika
By Lok Patrika
Share this Article

રાજકોટ મહાનગરપાલિકાની લોલમલોલ સામે આવી છે. રાજકોટની પ્રજા પાસેથી કરોડો રૂપિયાનો પાણી વેરાની ઉઘરાણી કરતી રાજકોટ મહાનગરપાલીકાને સરકારે પાણીનું બિલ ભરવા નોટીસ ફટકારી છે. સૌની યોજનાથી રાજકોટ શહેરને નર્મદા નિર પૂરૂ પાડવામાં આવે છે, પરંતુ ૨૦૧૭થી અત્યાર સુધીમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નર્મદા નિગમને બિલની ભરપાઇ કરી નથી. જેથી સિંચાઇ વિભાગે ૧૦૫ કરોડ રૂપીયાનું બિલ ભરવા નોટીસ ફટકારી છે.

ઉનાળાના કપરા કાળમાં રાજ્ય સરકારે રાજકોટ શહેરને પીવા માટે નર્મદાનાં નિર પહોંચાડ્યા. આજી અને ન્યારી ડેમમાં નર્મદાનાં નિર ઠાલવવામાં આવતા રાજકોટવાસીઓને પાણી કાપનો સામનો કરવો પડ્યો નથી. રાજકોટ મહાનગરપાલિકાએ રાજકોટવાસીઓનાં ખિસ્સા ખંખેરીને કરોડો રૂપિયાનો પાણી વેરો વસુલ કર્યો છે. પરંતુ પાણી વેરાનાં રૂપીયા સરકારમાં જમા કરાવ્યા નથી. જી હા, આ અમે નહિં પરંતુ રાજકોટ મહાનગરપાલિકાને સિંચાઇ વિભાગે ફટકારેલી નોટીસ કહી રહી છે. સિંચાઇ વિભાગે ફટકારેલી નોટીસમાં રાજકોટ મહાનગરપાલિકાનું ૧૦૫ કરોડ રૂપિયાનું પાણીનું બિલ બાકી હોવાનું અને ભરપાઇ કરવા કહેવામાં આવ્યું છે.

રાજકોટ મહાનગરપાલિકાનાં વિરોધ પક્ષનાં પૂર્વ નેતા વસરામ સાગઠિયાએ કહ્યું હતું કે, રાજકોટવાસીઓ પાસેથી કરોડો રૂપીયાનો પાણી વેરો વસુલ કરવામાં આવે છે તો સરકારમાં ભરપાઇ કરવા જાેઇએ. પરંતુ આ રૂપીયા ક્યાં ગયા તેની સામે સવાલો ઉઠી રહ્યા છે. તો બીજી તરફ રાજકોટનાં મેયર ડો પ્રદિપ ડવનું કહેવું છે કે, છેલ્લા ઘણાં વર્ષો થી પાણીનું બિલ ભરવાનું બાકી હોવાથી ચડત બિલ અને વ્યાજ અને પેનલ્ટી લગાવવામાં આવી છે. જેના માટે અમે સરકારમાં અપિલ કરીશું કે વન ટાઇમ સેટલમેન્ટ કરવામાં આવે અને અંદાજીત ૩૩ કરોડ જેવું વ્યાજ અને પેનલ્ટી માફ કરવામાં આવે.

જાેકે રાજકોટવાસીઓને પાણી કાપનો સામનો ન કરવો પડે તે માટે ફરી એક વખત નર્મદાનાં નિરની માંગણી કરવામાં આવી છે. વસરાદ ખેંચાશે તો નર્મદાના નિર રાજકોટવાસીઓને મળે તે માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે.રાજકોટ શહેરના જીવાદોરી સમાન આજીડેમમાં ૩૦ જૂન સુધી ચાલે એટલો જ પાણીનો જથ્થો બચ્યો છે. જ્યારે ન્યારી ડેમમાં પાણી રીજર્વ રાખવામાં આવ્યું છે.

જાે વરસાદ ખેંચાય તો ફરી રાજકોટ શહેરને નર્મદા નિર આધારીત રહેવાનો વારો આવી શકે છે. ત્યારે સિંચાઇ વિભાગ દ્વારા આપવામાં આવેલા બિલ મુજબ આજીડેમ ૧માં ૭૯.૨૬ કરોડ જ્યારે ન્યારી ૧ ડેમનો ૨૫.૯૬ કરોડનું બિલ ભરપાઇ કરવા રાજકોટ મહાનગરપાલીકાને પત્ર લખવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ મહાનગરપાલીકા પ્રજાનાં રૂપીયા ખોટા તાયફાઓ પાછળ ખર્ચવાને બદલે પાણી અને પ્રાથમિક સુવિધાઓ પાછળ વાપરે તેવી માંગ ઉઠી છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly