Rajkot News: રાજકોટમાં ક્રિકેટ રસીકો માટે આનંદના સમાચાર છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ ગુજરાતના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 19 ફેબ્રુઆરી સુધી ચાલશે. રાજકોટના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ફરી એક વખત ક્રિકેટનો જંગ જોવા મળશે.
જેને લઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આ સાથે તેમજ 15 ફેબ્રુઆરીથી શરૂ થતી ટેસ્ટ મેચને લઈ ટિકિટનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે. જેમાં ટિકિટનાં દર 500 થી 25,000 નક્કી કરવામાં આવી છે.
રાજકોટ ફરી એક વખત ક્રિકેટનો જંગ જામી રહ્યો છે. જેમાં રાજકોટનાં ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાવાની છે. જેને લઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ભારત-ઈગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની શ્રેણી હાલ ચાલી રહી છે. જેમાંથી ત્રીજી ટેસ્ટ મેચ તા. 15 થી 19 ફ્રેબુઆરી દરમ્યાન રાજકોટ ખાતે ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાનાર છે. આ સ્ટેડિયમ 5.50 લાખ સ્કવેર ફૂટમાં ફેલાયેલું છે.
ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે રમાનાર ટેસ્ટ ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ રાજકોટ ખાતે રમાનાર છે. અંદાજે 11 ફેબ્રુઆરીના રોજ ભારતીય ટીમનાં ખેલાડીઓ રાજકોટ આવી પહોંચશે અને હોટલ સયાજી ખાતે રોકાશે.
સોનું અસલી છે કે નકલી? સોનાની શુદ્ધતા કેવી રીતે ઓળખવી? સોનું-ચાંદી ખરીદતી વખતે ધ્યાનમાં રાખો આ બાબતો
સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો યથાવત, આ સીઝનમાં દાગીના ખરીદીની સારી તક, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ
જ્યારે તારિખ 12 મી ફેબ્રુઆરીના રોજ ઈગ્લેન્ડની ટીમ રાજકોટ આવશે. જે 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ફોર્ચ્યુંન હોટલમાં રોકાશે. રાજકોટમાં ટેસ્ટ મેચ રમાવાની હોવાથી ક્રિકેટ રસીકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.