પેટ્રોલ પંપ પર લૂંટના કિસ્સાઓ અવાર નવાર બનતા આવ્યા છે અને આ મુદ્દો રોજ વિવાદમાં જ રહ્યો છે. ત્યારે હવે સુરતમાં એક તાજો કિસ્સો સામે આવતા ચારેકોર વાયરલ થઈ રહ્યો છે. પેટ્રોલ પંપ પર ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાની વાત ફરી એક વખત સામે આવી છે. પેટ્રોલ પંપ પર ઓછું પેટ્રોલ પૂરવાનો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. પેટ્રોલ પૂરાવ્યા બાદ ઓછું પેટ્રોલ ભર્યું હોવાનું બહાર આવ્યું હતું. જે મામલે ગ્રાહકે પોલીસ બોલાવી હતી અને પોલીસ દ્વારા પણ હવે આ આ મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે.
અનેક ફરિયાદો સામાન્ય રીતે થતી જ હોય છે. આ વાત ફરી એક વખત ચર્ચામાં આવી છે. સુરતમાં આવી જ એક ઘટના બની છે. સુરતના ડીંડોલીમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ કટ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. શક્તિ પેટ્રોલિયમમાં પેટ્રોલ કટ માર્યો હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગ્રાહકે બુલેટમાં 300 રુપિયાનું પેટ્રોલ નખાવ્યું હતું અને ટાંકીમાંથી માત્ર 2 લિટર પેટ્રોલ નીકળ્યું હતું.
જ્યારથી આ વીડિયો અને આ મુદ્દો સામે આવ્યો છે કે ગ્રાહક સાથે સમાધાન કરવા મેનેજરે હસ્તક્ષેપ કર્યો હતો. જ્યારે ગ્રાહકે પેટ્રોલ પંપ પર પોલીસ બોલાવી હતી. ડીંડોલી પોલીસે પેટ્રોલ પંપ પર કાર્યવાહી હાથ ધરી હતી. તમે પણ જ્યારે પેટ્રોલ ભરાવતાં વખતે ગ્રાહકોએ પણ કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઇએ. કેમ કે, પેટ્રોલ પંપ પર કર્મચારી સાથે બિનજરૂરી વાત કરવાનું ટાળવું જોઇએ.
આ સાથે જ ધ્યાનમાં રાખવાના મુદ્દા વિશે વાત કરીએ તો ઉપરાંત પેટ્રોલ પંપ પર ભીડ હોય ત્યારે ગ્રાહકોએ ખાસ ધ્યાન રાખવું જોઇએ. પેટ્રોલ પંપના મીટર પર ધ્યાન આપો, જો પંપનું મીટર શૂન્ય ન દેખાતું હોય તો પહેલા કર્મચારીને તેના વિશે જાણ કરો. સખત સૂર્યપ્રકાશમાં પેટ્રોલ ખરીદવાનું ટાળો, સવારે અથવા સાંજે પેટ્રોલ ખરીદો.
નવરાત્રિમાં iPhone મળી રહ્યો છે ખાલી 13 હજાર રૂપિયામાં! જય માતાજી બોલો અને અહીંથી ફટાફટ ખરીદી લો
કેટલાક પેટ્રોલ પંપ પર ભેળસેળયુક્ત પેટ્રોલ અને ડીઝલની સમસ્યા પણ આવે છે. આવું હલકી ગુણવત્તાનું બળતણ તમારા વાહનના એન્જિનને પણ નુકસાન પહોંચાડી શકે છે. તમે તેને ફિલ્ટર પેપર ટેસ્ટથી ચકાસી શકો છો. પેપર પર પેટ્રોલના થોડા ટીપા નાંખવાથી ખબર પડશે કે તે અપ ટુ ધ માર્ક છે કે ભેળસેળવાળું છે. જો પેટ્રોલ શુદ્ધ છે, તો તે કોઈપણ ડાઘ છોડ્યા વિના બાષ્પીભવન કરશે. જો કે, જો તેમાં ભેળસેળ હોય તો, પેટ્રોલના ટીપા કાગળ પર થોડો ડાઘ છોડી જશે.