ભવર મીણા, પાલનપુર: ગામ ને સ્વચ્છ રાખવું એ પ્રજા ના પ્રતિનિધિ નું કર્તવ્ય છે.જ્યારે પ્રજા ના પ્રતિનિધિ ને સહયોગ આપવો એ પ્રજા નો ધર્મ છે.પ્રજા નો સહયોગ મળે તો ગમે તેવા ગામ ની કાયા પલટાઈ જાય તેમ છે.ત્યારે અમીરગઢ ના મહિલા સરપંચ દ્વારા પંચાયત પરિવાર ના સહયોગ થી ગામ ની સ્વચ્છતા જળવાઈ રહે તેમજ પ્રજા ને શુદ્ધ પાણી મળી રહે તે માટે નું આયોજન હાથ ધરવા માં આવ્યું છે.
ઉનાળા દરમિયાન પ્રજા ને સૌથી વધુ પાણી ની જરૂરત ઉભી થાય છે જોકે ગત વર્ષે ચોમાસુ નબળું રહેતા જિલ્લા ના કેટલાક વિસ્તારમાં ઉનાળા ના પ્રારંભ સાથે પાણી ના પોકારો સંભળાઈ રહ્યા છે.ત્યારે અમીરગઢ ની પ્રજા ને પાણી તે પણ શુદ્ધ મળી રહે તે માટે ડ્રોન કેમેરા ની મદદ થી પાણી ના ટાંકા નું નિરીક્ષણ કરવા માં આવ્યું હતું,અને પાણી ટાંકાની મરમત તેમજ સફાઈ કરી ક્લોરીન યુક્ત પાણી પ્રજા ને મળી રહે તેવું આગોતરું આયોજન ઘડવામાં આવ્યું હોવાનું પંચાયતના સૂત્રો એ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છેકે આગામી દિવસો માં પાણી સાથે ગામ ના કચરા ના ઢગો હટાવી ગામ ને સ્વચ્છ બનાવવા નું આયોજન કરવામાં આવ્યું છે. ભૂગર્ભ ગટરમાં શૌચાલયના કનેક્શન: અમીરગઢ ગામ માં રહેણાંક વિસ્તારો માં નું પાણી ના નિકાલ તેમજ ગંદકી અટકાવવા માટે સરકાર દ્વારા ભૂગર્ભ ગટર લાઇન નાખવા માં આવી હતી પરંતુ કેટલાક લોકો એ શોચાલય ના જોડાણ આપી દેતા ગટર લાઈનો અવારનવાર ચોકઅપ થવા ની સમસ્યા ઉભી થાય છે જેઓ ની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રજા માંગ ઉઠી છે