Gujarat News: શ્રી દાસારામ મંદિર ઝારેરા એ સગર સમાજના લાખો ભાવિક-ભક્તોના આસ્થાનું કેન્દ્ર છે. સમગ્ર ગુજરાતના સગર સમાજના ભાઈઓ બહેનો આ મંદિર સાથે પુરી આસ્થાથી જોડાયેલા છે. ત્યારે શ્રી દાસારામ મંદિર- ટ્રસ્ટ ઝારેરા દ્વારા અવાર નવાર સમાજલક્ષી નિર્ણયો લેવામાં આવતા રહે છે. માત્ર ભક્તિ પૂરતું મંદિર અને સમાજને સિમિત ન રાખી ફરી એકવાર શ્રી દાસારામ મંદિર-ટ્રસ્ટ ઝારેરાએ પહેલ કરી છે. આ પહેલા પણ શિક્ષણ અને આરોગ્ય માટે ટ્રસ્ટે અનેક કામગીરી કરી છે.
હવે શ્રી દાસારામ મંદિર-ટ્રસ્ટ ઝારેરાએ સમાજનો અને સમાજના લોકોનો સર્વાંગી વિકાસ થાય એ માટે પંચ સ્તભ યોજના બહાર પાડી છે. પંચ સ્તભ યોજના એ કોઈ મામુલી યોજના નથી. સમગ્ર સમાજને નાનાથી લઈને મોટા દરેકને ઉપયોગી થાય એવા પાસાઓ આવરી લેવામાં આવ્યા છે. પંચ સ્તભ યોજના વિશે વિગતે વાત કરીએ તો જેમાં 1) એમ્બ્યુલન્સ, 2) ત્રિમાસિક સામયિક, 3) સ્પર્ધાત્મક પરીક્ષા અને લોન સેવા, 4) રમતોસ્વ અને 5) વસ્તી ગણતરી… હવે આ દરેક યોજના વિશે વિગતે વાત કરીએ તો…
1) એમ્બ્યુલન્સ
સમયસર સારવાર મળે તો ઘણીવાર જીંદગી બચી જતી હોય છે, આપણો સમાજ આર્થિક રીતે અન્ય સમાજ જેટલો સક્ષમ નથી જેથી આરોગ્યની સેવાનો ઓછો ખર્ચ અને સમયસર સારવાર મળે તો માનવ સેવા એજ પ્રભુ સેવા એ સૂત્ર ને સાકાર કરવા ભવિષ્યમાં શ્રી દાસારામ મંદિર ટ્રસ્ટ ઝારેરા એમ્બ્યુલન્સની સેવા ચાલું કરાવાનો હકારાત્મક દ્રષ્ટિકોણ ધરાવે છે.
2) ત્રિમાસિક સામયિક
સમાજમાં બનતી દરેક ઘટનાઓથી આપણે સોં માહિતગાર થયે અને ઘર-ઘર સુધી વૈવિશાળની માહિતી, શૈક્ષણિક માહિતી, કૃષિ અને વ્યવસાયિક માહિતી તથા ઐતિહાસિક બાબતોને આવરી લેતું ત્રિમાસિક સામાયિક બહાર પાડવું, દરેક સમાજની પોતાની અસ્મિતા અને ગોરવ ને જાળવવા તથા વિકસાવવામાં આ સામાયિકો અગત્યનો ભાગ ભજવે છે આ બાબતને દીવાદાંડીરૂપ ગણી આવનાર સમયમાં શ્રી દાસારામ મંદિર ટ્રસ્ટ ઝારેરા દ્વારા એક સામાયિક શરુ કરવાનાં પ્રયત્નો કરશે.
3) સ્પર્ધાત્મક પરીક્ષા અને લોન સેવા
આવનાર સમય જ્ઞાનનો છે, સરકાર માં આવનાર સમયમાં ઘણી બધી જગ્યાઓ પર ભરતી આવવાની છે, અત્યારે માત્ર માર્ક્સ સારા લાવવાથી કોઈ નોકરી મળતી નથી એના માટે જરૂરી જ્ઞાન છે, આવનાર સમયમાં શ્રી દાસારામ મંદિર ટ્રસ્ટ દ્વારા યુવાવર્ગને સ્પર્ધાત્મક પરીક્ષા માટેનાં તાલીમ વર્ગોની વ્યવસ્થા કરવાનું આયોજન કરશે તથા પુસ્તકાલય બનાવશે તેમજ ઉપલબ્ધ ધન રાશી પ્રમાણે સમાજના નબળા અને ખુબ જરૂરિયાત વાળા વિધાર્થીઓને ઉંચ્ચ અભ્યાસ/ વિદેશ અભ્યાસ માટે લોન આપવાનું આયોજન કરશે
4) રમતોસ્વ
રમતો આપણને જીવન જીવવાની રસ્તો બતાવે છે, રમતમાં હાર – જીત એ જીવનનો એક ભાગ છે તે સમજાવે છે રમત-ગમત થી શરીર સ્ફુર્તી,ચપળતા અને બોદ્ધિક વિકાસમાં ખુબ મોટો ભાગ ભજવે છે, આજના સમયમાં રમત-ગમ્મત દ્વારા આજીવિકા મેળવી શકાય છે, આપણા સમાજના કેટલાક ભાઈઓ તથા બહેનો રમત-ગમ્મત ક્ષેત્રે રાજ્ય સ્તરે ખુબ જ ગોરવ આપાવે તે રીતે ભાગીદાર બની સમાજનું નામ રોશન કરેલ છે આ બાબતને ધ્યાનમાં રાખી ને શ્રી દાસારામ મંદિર ટ્રસ્ટ દ્વારા સીઝન મુજબ રમોત્સવનું આયોજન કરી યુવાવર્ગને દિશા મળે તેવા પ્રયત્ન કરશે.
5) વસ્તી ગણતરી
આપણા સમાજની જામનગર, દ્વારકા પોરબંદર જીલ્લામાં વસવાટ કરતા હાલાર બરડા વિભાગની વસ્તી ગણતરી કરવી તથા તેનો ડેટા તૈયાર કરી એપ્લીકેશન બનાવી સંકલિત માહિતી દ્વારા આવનાર સમયમાં સમાજની જરૂરિયાત તેમજ સમાજના ખેડૂત વર્ગ,મહિલા વર્ગ , ધંધાદારી વર્ગ, વિધાથી વર્ગ, મજુરવર્ગ જેવા તમામ વર્ગને આવરી સમાજનાં સંગઠન ને મજબુત કરવા શ્રી દાસારામ મંદિર ટ્રસ્ટ દ્વારાપ્રમાણિક પ્રયત્ન કરવામાં આવશે.