Gujarat News : સુરેન્દ્રનગરમાં (surendranagar) પેસેન્જર બસ પલટી જતા અકસ્માત ( accident) સર્જાયો હતો. સુરેન્દ્રનગરના વાણા ગામ પાસે એસટી બસનો અકસ્માત સર્જાયો હતો. બસ ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. બસ પલટી જતા 40થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. જ્યારે ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. પોલીસ ટ્રેનિંગમાં જતા યુવકની બસ પલટી ખાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.
લાખર તાલુકાના વાના ગામ પાસે ગત મોડી રાત્રે એસટી બસ પલટી ખાઈ જતા મોટી સંખ્યામાં મુસાફરો ઘાયલ થયા હતા. પોલીસ તાલીમ અર્થે જઇ રહેલા યુવક-યુવતીઓ સહિત 40થી વધુ મુસાફરોને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવાયા હતા.
અંબાલાલની દિલમાં ધ્રાસકો પાડી નાખે એવી આગાહી, એકસાથે બે-બે વાવાઝોડાનો ભયંકર ખતરો, જાણી લો તારીખ-સમય
ખેલૈયાઓ ખાસ જાણી લેજો હવામાન વિભાગની નવી આગાહી, જાણો પહેલા-બીજા નોરતે ક્યાં કેટલો વરસાદ ખાબકશે!
ખેલૈયાઓ ખાસ જાણી લેજો હવામાન વિભાગની નવી આગાહી, જાણો પહેલા-બીજા નોરતે ક્યાં કેટલો વરસાદ ખાબકશે!
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે એસ. ટી. બસના ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી પોતાનો કાબુ ગુમાવતા બસ પલ્ટી મારી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની માહિતી મળતા નાયબ મુખ્ય સજા જગદીશભાઈ મકવાણા સહિતના આગેવાનો અને કાર્યકરો પણ સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.