ખેડાના માતર નજીક આવેલા ઉંઢેરા ગામમા નવરાત્રી દરમિયાન એક સમુદાયના ટોળા દ્વારા પથ્થરમારો કર્યાની ઘટના સામે આવી છે. પથ્થરમારો ગરબા રમવા બાબતે થયો હોવાનુ કહેવામા આવી રહ્યુ છે. ઘટનાની જાણ થતા માતર પોલીસ, LCB, SOG સહિતનો પોલીસ કાફલો તરત ગામમા પહોંચી ગયો હતો.
મળતી માહિતી મુજબ પોલીસ ઘટના સ્થળે પહોંચે ત્યા સુધીમા પથ્થરમારામા 6થી 7 લોકો ઈજાગ્રસ્ત થઈ ચૂક્યા હતા. આ તમામને તરત જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સિવાય બે જવાનો પણ ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે. પોલીસ સિવાય Sp, Dysp, મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉંઢેરા ગામે દોડી આવ્યા હતા.
આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો ગામમાં જ્યારે નવરાત્રી દરમિયામન આરીફ અને જહીર તેમની આગેવાનીમાં ટોળું લઇને આવ્યા હતા અને ગરબામાં અડચણરૂપ બન્યા. આ જોતા પહેલા તો ગામના અગ્રણીઓએ તેમને સમજાવ્યા પણ તે માન્યા નહી અને બીજી તરફ થોડા પાછળ જઇને લોકો સામે પથ્થરમારો કર્યો. આ મામલે સ્થાનિકોનુ કહેવુ છે કે અહીંયા ગરબા નહીં રમવાના તેમ કહીને પથ્થરમારો કરવામાં આવ્યો હતો.