શહેરના લસકણા વિસ્તારમાં પોલીસની હપ્તાખોરી અને ગેરકાયદે ઉઘરાણીની પોલ ખોલનારા વકીલ મેહુલ બોઘરા પર ટીઆરબી જવાને જીવલેણ હુમલો કર્યો હતો. આરોપી ટીઆરબી જવાન સાજન ભરવાડે વકીલ પર ડંડાથી જીવલેણ હુમલો કરી માથુ ફોડી નાખ્યુ હતુ. જે બાદ વકીલને ત્રણ ટાંકા પણ આવ્યા હતા. આ સમગ્ર ઘટના બાદ હવે પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. પોલીસે ૯ ટીઆરબીજ વાનનની હાકલપટ્ટી કરી છે.
વકીલ પર જીવલેણ હુમલાના થોડા દિવસો બાદ હવે પોલીસ વિભાગ પણ સફાળુ જાગ્યું છે. જેથી ફરજ પર બેદરકારી દાખવનારા જવાનો સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના લસકણા વિસ્તારમાં ચારેક દિવસ અગાઉ વકીલ મેહુલ બોઘરા પર જીવલેણ હુમલો થયો હતો. આ હુમલો ટીઆરબીના જવાન સાજન ભરવાડે કર્યો હતો. એક ડંડાથી વકીલને એવો માર માર્યો કે તે તૂટી ગયો હતો. બાદમાં તેણે બીજા ડંડાથી વકીલને માર માર્યો હતો. જે બાદ વકીલનું માથુ ફૂટી ગયુ હતુ.
તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે બાદ માથામાં ત્રણ ટાંકા પણ આવ્યા હતા. આ ઘટનામાં સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થઈ હતી. પોલીસની હપ્તાખોરી અને ગેરકાયદે ઉઘરાણીની વકીલે પોલ ખોલી નાખી હતી. જે બાદ ઉશ્કેરાયેલા ટીઆરબીજવાન સાજન ભરવાડે હિંસક હુમલો કર્યો હતો. હવે વકીલ પર હુમલાની આ ઘટના બાદ હવે પોલીસ વિભાગ પણ એક્શનમાં આવી ગયું છે. જેના ભાગરુપે પોલીસે ૯ ટીઆરબીજવાનોની હાકલપટ્ટી કરી દીધી છે.
ફરજમાં બેદરકારી દાખવનારા ટીઆરબીજવાનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચાલુ ડ્યૂટી દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો, પોઈન્ટ પર ગેરહાજર રહેવું સહિતની વિવિધ બેદરકારી રાખનારા ટીઆરબીજવાનો સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે.
મહત્વનું છે કે, વકીલે ફેસબુક લાઈવ કરીને આ પોલીસની પોલ ખોલી નાખી હતી. જે બાદ ચાલુ લાઈવ દરમિયાન જ આરોપી સાજન ભરવાડે વકીલ મેહુલ બોઘરા પર હુમલો કર્યો હતો.
આરોપી સાજન ભરવાડે દોડાવી દોડાવીને વકીલને ડંડાથી માર માર્યો હતો. ૧૫-૧૭ ડંડાના ફટકા ખાધા બાદ વકીલ લોહીલુહાણ થઈ ગયા હતા. બાદમાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પટિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં માથામાં ત્રણ ટાંકા લેવા પડ્યા હતા. એ પછી પણ મેહુલ બોઘરાએ હોસ્પિટલમાંથી ફેસબુક લાઈવ કરીને પોલીસની સમગ્ર કરતૂતની વિસ્તારથી માહિતી આપી હતી. સાથે જ ભ્રષ્ટાચાર સામે શહીદ થઈ જવાની વાત પણ કરી હતી.