Surat News: સુરતમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન એટલે કે 14 જાન્યુઆરી 2024ના રોજ BRTS સેવા સદંતર બંધ રાખવામાં આવી છે. જ્યારે સીટી બસ સેવા 30 ટકા શિડયુલ સાથે ચલાવવામાં આવશે. આ સાથે 15 જાન્યુઆરીના રોજ BRTS બસ સેવા 30% શેડ્યુલ સાથે તથા સીટી બસ સેવા 50% શેડ્યુલ સાથે ચલાવવામાં આવશે.
સમગ્ર ભારતમાં સુરત શહેર એક માત્ર શહેર છે, જ્યાં એક ટિકિટથી સિટી બસ અને BRTSમાં મુસાફરી કરી શકાય છે. હાલમાં BRTSના કુલ 13 રૂટ તેમજ સિટી બસના કુલ 45 રૂટ પર આશરે દૈનિક 2.50 લાખ જેટલા નાગરિકો જાહેર પરિવહન સેવાનો લાભ લઇ રહ્યા છે.
તા. 14 અને 15 જાન્યુઆરી ના રોજ શહેરોમાં હર્ષોલ્લાસ સાથે ઉતરાયણ પર્વ ઉજવણી કરવામાં આવે છે. ઉતરાયણના રોજ લોકો દ્વારા પતંગ ઉડાવી/લૂંટી પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે. જો કે અમુક કિસ્સાઓમાં લોકો દ્વારા BRTS કોરિડોરમાં પતંગ ચગાવતા કે પકડતા હોઈ અકસ્માતની સંભાવના રહે છે.
જેને ધ્યાને લઈને તા.14 જાન્યુઆરી 2024ના રોજ BRTS બસ સેવા સંદતર બંધ કરવામાં આવનાર છે તથા સિટી બસ સેવા 30 ટકા શિડ્યૂલ સાથે ચલાવવામાં આવનાર છે. વધુમાં 15 જાન્યુઆરીના રોજ BRTS બસ સેવા 30 ટકા શિકયુલ સાથે તથા સિટી બસ સેવા 50 ટકા શિડયુલ સાથે ચલાવવામાં આવનાર હોવાનું તંત્રએ જણાવ્યું હતું