“બધાને જય શ્રી રામ..” અયોધ્યા રામ મંદિરમાં 14 વર્ષની દીકરીએ આપ્યું 52 લાખનું દાન, સુરતની ભાવિકા મહેશ્વરીએ આપ્યું દાન

Desk Editor
By Desk Editor
Share this Article

Surat News: અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠઆ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થશે અને રામલલા ગર્ભગૃહમાં બિરાજશે. ત્યારે દેશવિદેશના રામભક્તોના ખૂૂબ દાન આપી રહ્યા છે.

ત્યારે રામના ભવ્ય મદિરના નિર્માણમાં દાન આપવામાં ગુજરાતીઓ સૌથી આગળ છે. ત્યારે આજે અમે તમને સુરતની એક એવી દીકરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના વિશે સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

સુરતની 14 વર્ષની દીકરીએ આપ્યું દાન

સુરતમાં માત્ર 14 વર્ષની દીકરીએ અયોધ્યા મંદિરમાં મોટું દાન આપ્યું છે. હવે તમે કહેશો કે 14 વર્ષની દીકરી કેવી રીતે દાન કરી શકે છે? પરંતુ આ હકીકત છે. સુરતની ભાવિકા મહેશ્વરીએ રૂપિયા એક, બે નહીં પુરા 52 લાખનું દાન આપ્યું છે. ભાવિકા મહેશ્વરીએ અલગ અલગ 15 રામ કથાઓ અત્યાર સુધી કરી છે, જેના થકી રામ કથામાં આવેલું દાન ભાવિકાએ અયોધ્યા મંદિરમાં સમર્પણ કર્યું છે.

ભાવિકા મહેશ્વરીએ રામ કથા કરે છે

માત્ર 10 વર્ષની ઉંમરથી જ ભાવિકા મહેશ્વરીએ રામ કથા શરૂ કરી હતી. આ દીકરી વિશે જાણવા મળી રહ્યું છે કે તે કોવિડ આયસોલેશન સેન્ટર અને લાજપોર જેલમાં પણ રામ કથા કરી ચુકી છે. ભાવિકાએ 3200 કેદીઓને રામ કથા સંભળાવી હતી. ત્યારબાદ કેદીઓએ રામકથામાં રૂપિયા 1 લાખ આપ્યા હતા.

તમને જણાવી દઈએ કે એક અંદાજ પ્રમાણે અત્યાર સુધીમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને રામ મંદિર માટે રૂ. 5500 કરોડથી વધુનું દાન મળ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભગવાન રામના ભવ્ય મદિરના નિર્માણમાં દાન આપવામાં ગુજરાતીઓ સૌથી આગળ છે. ગુજરાતના બે લોકોએ રામ મંદિર માટે સૌથી વધુ દાન આપ્યું છે.

રામ મંદિર માટે સૌથી વધુ દાન

Ayodhya: સામાન્ય માણસ ક્યારે રામ મંદિરના દર્શન કરી શકશે, શું કોઈ ફી લાગશે? જાણો દરેક પ્રશ્નનો જવાબ અહીં

‘શુભ મુહૂર્ત આવી ગયું છે’, ‘અયોધ્યા ધામ તૈયાર છે…’ જુઓ પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પોસ્ટરોથી ઢંકાયેલી રામનગરી

Gautam Adani: ગૌતમ અદાણીએ ભારતીય હોવાનો ગર્વ, સોશિયલ મીડિયા પર વર્લ્ડ ઈકોનોમિક ફોરમ 2024ના અનુભવો કર્યા શેર

રામ મંદિર માટે સૌથી વધુ દાન કરનારાઓમાં ગુજરાતીઓના નામ ટોચ પર છે. મોરારી બાપુએ રામ મંદિર માટે 16.3 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. તો હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ રામ મંદિરના નિર્માણ માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. રામ મંદિર ટ્રસ્ટે દેશના 11 કરોડ લોકો પાસેથી 900 કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. પરંતુ ડિસેમ્બર સુધી ભગવાન રામના મંદિર માટે 5 હજાર કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું છે.

 


Share this Article