જેલમાંથી છુટીને દેવાયત ખવડનો ડાયરો, કહ્યું- હું જેલમાં હતો ત્યારે ઘણા નામ લેતા શરમાતા, લોકોને ખબર નથી હોતી કે…

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

જેલમાથી છુટ્યા બાદ દેવાયત ખવડના ડાયરા ફરી એકવાર શરૂ થઈ ગયા છે. તાજેતરમાં સોનલધામ મઢડા ખાતે યોજાયેલા ડાયરામાં દેવાયત ખવડનો લોકડાયરો યોજાયો હતો. આ દરમિયાન દેવાયત ખવડના તેવર જોવા મળ્યા હતા. સ્ટેજ પરથી દેવાયત ખવડે કહ્યુ કે જે દિવસે હું અંદર હતો ત્યારે કેટલાક લોકો તો મારું નામ લેતા પણ શરમાતા હતા. પરંતુ મારા ભાઈબંધ જેવા ભાઈ જીગ્નેશ કવિરાજે મને જીવતો રાખ્યો હતો.

સોનલધામ મઢડા ખાતે દેવાયત ખવડના તેવર

આ સાથે દેવાયત ખવડે તેવર બતાવતા કહ્યુ કે કેટલાક લોકો તો એવું વિચારતા હતા કે, હવે આ બોર્ડ શોર્ટ થઈ ગયું છે પણ કેટલાકને ખબર નથી હોતી કે અંત હી પ્રારંભ હૈ. વાયડાઈ ક્યારેય પણ જીતી શકતી નથી. સોનબાઈ માની બીજ આવી ત્યારે હું જેલમાં હતો. તે સમય મને ખૂબ ચિંતા થતી હતી કે મારી માની બીજ આવી રહી છે અને હું ત્યાં પહોંચી નહીં શકું જેના કારણે મેં જેલમાં શક્તિદાન ગઢવી નામના કોન્સ્ટેબલ પાસે સોનબાઈ માનો ફોટો મંગાવ્યો હતો.lokpatrika advt contact

 જીગ્નેશ કવિરાજે મને જીવતો રાખ્યો

જેલના દિવસો યાદ કરતા દેવાયત ખવડે કહ્યુ કે જેલમાં માનો ફોટો રાખી મેં બે હાથ જોડી શીશ ઝૂંકાવ્યું હતું, માના ચરણોમાં ગીત પણ બનાવી રજૂ કર્યું. આ સિવાય ભાવનગરના કોલંબા ધામ ડાયરામાં પણ દેવાયત ખવડે કહ્યું હતું કે, ઝૂકેંગા નહીં સાલા.

ગુરુની કૃપા થાય એટલે તેની મહાદશામાં બનાવે રાજા, સતત 16 વર્ષ સુધી આટલી રાશિને જલસા જ જલસા, ચારે દિશામાં પ્રગતિ

હવે 4 દિવસ શાંતિથી રહી લો, પછી આ રાશિના લોકોના જીવનમાં મોટો ભૂચાલ આવશે, સુતા-જાગતા બસ મુશ્કેલીઓ જ આવશે!

30 વર્ષ પછી આજે બની રહ્યો છે આ દુર્લભ સંયોગ, આ લોકોના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે, સુખના રંગોમાં રમશે

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં દેવાયત ખવડ અને સાથીઓ દ્વારા મયૂરસિંહ રાણા પર હુમલો કરવાના મામલે લોક સાહિત્યકાર દેવાયત ખવડને જેલ જવુ પડ્યુ હતુ. 19મી ડિસેમ્બરે ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા હતા.

 

 

 


Share this Article