રામનવમીના દિવસે શોભાયાત્રા દરમિયાન હિંમતનગર અને ખંભાતમાં કોમી છમકલા થયા હતા. જેમાં ખંભાતમાં થયેલી હિંસા અંગે ગુજરાત પોલીસે મોટા ખુલાસા કર્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, રામનવમીની શોભાયાત્રાની મંજૂરી મળ્યા બાદ જ આ હિંસા ફેલાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ હિંસામાં ૩ મૌલવી અને અન્ય બે શખ્સોએ આ ષડયંત્ર ઘડ્યું હતુ. આ ષડયંત્રને પાર પાડવા માટે બહારથી લોકોને બોલાવવામાં આવ્યા હતા.
ખંભાતમાં ફેલાયેલી હિંસા બાદ મુસ્તકીમ મૌલવી, મતીન-મોહસીન નામના ત્રણ મૌલવીઓની ઘરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેવ ભાઇઓ છે. આ સાથે ૧૦૦થી વધુ લોકોના ટોળાં સામે પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ આ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે, આ લોકોએ રામનવમીના આગળના દિવસે એટલે કે, શનિવારે જ આ આખા ષડયંત્રને બનવવામાં આવ્યો હતો.
આ કાવતરા માટે ખંભાતની બહારથી માણસો બોલાવવામાં આવ્યા હતા. કારણ કે, ખંભાતના જ લોકો હોય તો તેમની ઓળખ થઇ શકે છે. તે માટે ખંભાતની બહારના લોકોને બોલાવવામાં આવ્યા હતા. જાેકે, આ એક બાદ એક આ લોકોની ઓળખ થઇ રહી છે. આ લોકો પર વૈમન્સ્ય ફેલાવવાનો, હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો લગાવવામં આવ્યો છે. આ કવતરામાં કોણ લોકોને બહારથી લાવવામાં આવ્યા હતા અને તેમને કયા કામ સોંપ્યા હતા તે પોલીસ તપાસમાં સામે આવી ગયું છે.
આ મામલામાં આ કાવતરાને અંજામ આપવા માટે પહેલાથી જ પથ્થરો ભેગા કરવામાં આવ્યા હતા. ખંભાતમાં પહેલા પથ્થરમારો અને પછી આગચંપીનો બનાવ બન્યો હતો. આ કેસમાં આ લોકોને કોણ રૂપિયાની મદદ કરતું હતું તે અંગેની પણ મૌલવીઓ પાસેથી પૂછપરછ કરવામાં આવી રહી છે. આવા કાવતરાને અંજામ આપવા માટે રૂપિયા ક્યાંથી, કઇ રીતે અને કોણે આપ્યા એ જાણવું પણ ઘણું જ અગત્યનું છે.