ગુજરાતમાં ચૂંટણી પૂર્વે ભાજપ આદિવાસી પટ્ટામાં ગાબડુ પાડવામાં સફળ રહી છે. સ્વર્ગસ્થ અનિલ જાેષીયારાની ભિલોડા બેઠક પર ભાજપની નજર છે. આ બેઠક મેળવવા ભાજપ અનિલ જાેષીયારાના દીકરા કેવલ જાેષીયારા ભાજપમાં સામેલો કરવા જઈ રહી છે.ભીલોડા બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. અને અનિલ જાેષીયારા ભિલોડાથી સતત ૫ ટર્મથી જીતતા આવ્યા હતા.
જાેકે હવે તેમના નિધન બાદ આ બેઠક પોતાના ખાતામાં લાવવા માટે ભાજપ તેજ પ્રયાસો કરી રહ્યું છે. આવતીકાલે કેવલ જાેષીયારા ભાજપમાં જાેડાશે. અરવલ્લીના ભિલોડા ખાતે સી.આર.પાટીલ જાેષીયારાનું ભાજપમાં સ્વાગત કરશે. કેવલ જાેષીયારા સાથે કોંગ્રેસના પૂર્વ પંચાયત હોદ્દેદારો સહિત ૧૫૦૦ કાર્યકરો પણ કેસરિયો ધારણ કરવાના છે.
ભાજપમાં જાેડવાનો આ કાર્યક્રમ ભિલોડાની આર.જી.બારોટ કૉલેજના કેમ્પસમાં રાખવામાં આવ્યો છે. ભાજપે આ કાર્યક્રમ માટે ભિલોડાની આર.જી.બારોટ કૉલેજ કેમ્પસ ખાતે તૈયારી પૂર્ણ કરી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપે આદિવાસી વિસ્તારની બેઠકો કબજે કરવા કવાયત શરૂ કરી છે. મહત્વનું છે કે ભાજપ આ વખતની ચૂંટણીમાં આદિવાસી બેઠકો પર કબ્જાે જમાવવા માટે પ્રયાસો કરી રહ્યું છે.
પહેલા કોંગ્રેસના ખેડાબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જાેડાયા અને હવે કેવલ જાેશીયારા ભાજપમાં જાેડાશે.ભિલોડામાં જ સી.આર પાટીલની ઉપસ્થિતિમાં તેઓ કેસરિયો કરશે. લાગી રહ્યુ છે કે વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ધાર્યુ પરિણામ લાવવામાં નિષ્ફળ રહ્યુ છે આથી ઉત્તર ગુજરાતમાં પક્ષને મજબૂત કરવા માટે કોંગ્રેસના નારાજ નેતાઓને પક્ષમાં સામેલ કરવામાં ભાજપના પ્રયાસો સફળ થઇ રહ્યા છે