આજે અહી જે વાત થઈ રહી છે તે કોઈ માણસ નહિ પણ કૂતરાની છે. હા, આ કૂતરો આજે છે કરોડોનો માલિક. બનાસકાંઠાના પાલનપુર નજીક આવેલ કુશકલ ગામની આ વાતો સાંભળી સૌ કોઈ દંગ રહી ગયા છે. એક સમય હતો જ્યારે નવાબોએ પાઘડી તરીકે જમીન ગામ લોકોને ખેતી કરવા માટે આપી હતી. આ સમયે ગામનાં વડીલોએ વિચાર્યું કે માણસો મહેનત કરીને પેટ ભરી લેશે પણ રખડતાં પશુઓનું શું?
આ બાદ બધાએ ભેગા થઈને નિણર્ય કર્યો કે નવાબોએ જે જમીન આપી હતી છે તે જમીન તેમની વાવેતર કરવાના બદલે ગામની વચોવચ 20 વીઘા જેટલી જમીન શ્વાન હસ્તક કરી દીધી. હવે હાલ આ જમીનનો ભાગ પાસેથી જ રોડ પસાર થાય છે જેથી તેના એક વીઘાના 25 લાખ આસપાસ કહેવાય રહી છે. આ મુજબ જો ગણતરી કરવામાં આવે તો 20 વીઘા જમીનની કિંમત 5 કરોડની આસપાસ થાય છે.
આ જમીનમાં આજે પણ ચોમાસા દરમિયાન અથવા તો આજુબાજુના ખેતરમાંથી પાણી લઈને તેમાં પાક ઉગાડાય છે અને જે પણ નીપજ થાય તે પૈસા શ્વાન માટે અલગ જ રાખવામાં આવે છે અને નાના-મોટા પ્રસંગમાં શ્વાન માટે તે પૈસામાંથી મિષ્ઠાન, ખોરાક અને અન્ય જરૂરી ચીજો લેવામાં આવે છે.
આ ગામના લોકો માત્ર શ્વાન જ નહિ અન્ય પ્રાણીઓ પ્રત્યે પણ દયાની ભાવના રાખે છે. અહીંના દરરોજ એક એક ઘરેથી 10 કિલો લોટના બાજરા બને છે અને તે રોટલા શ્વાન-વાનરોને આપવામાં આવે છે. આજે આ ગામમાં 600 જેટલા મકાનો છે તે મકાનોમાંથી તમામને એક એક દિવસના 5થી 10 કિલો લોટના બાજરાના રોટલાઓ માટે વારો આવે છે.
મળતી માહિતી મુજબ ગામ લોકોએ ગામ વચ્ચોવચ શ્વાનને ખાવા આપવા માટે લોખંડનું પાંજરું જેવું બનાવ્યું છે. આ પાંજરાની આસપાસ એવું રીતે જાળી બાંધવામાં આવી છે કે શાવાં તેમની મરજી થાય ત્યારે અંદર જઈ શકે અને બહાર પણ આવી શકે. આ સિવાય જ્યારે તહેવારોની સિઝન હોય ત્યારે લોકો સાથે શ્વાનને પણ મોજ પડે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. અહીંના તમામ ધર્મના લોકો સાથે મળીને શ્વાન માટે શીરો બનાવે, ખીચડી બનાવે, લાડુ, મીઠાઈ જેવી વાનગીઓ બનાવે છે.