હાલમાં જે ઘટના સામે આવી છે એ ખરેખર ગુજરાતની શાંતિને ખલેલ પહોંચાડે એવી છે. કેટલાક લોકો છે જે રાજ્યના દુશ્મન હોય એવું વર્તન કરી રહ્યા છે. આ વાત છે હિંમતનગરના વણઝારા વાસમાં પથ્થરમારાની ઘટનાની કે જેમાં વણઝારા વાસના સ્થાનિકો સામાન લઈને બીજે જવા લાગ્યા છે અને ઘર છોડી પલાયન થઈ રહ્યું છે. જો કે વારંવાર હુમલા થવાના કારણે આવું સ્થળાંતર કરી રહ્યાં હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ નાના બાળકો અને મહિલાઓમાં પણ જોરદાર ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ સાથે જ વાત કરીએ તો ત્યાંથી વિગતો મળી રહી છે કે રાત્રિ દરમ્યાન પેટ્રોલ બોમ્બના હુમલાનો ભય લોકોને સતત સતાવે છે. તેથી સાતથી આઠ જેટલા પરિવાર ઘર છોડી પલાયન થયા હોવાનું અત્યાર સુધીમાં સામે આવ્યું છે. સાબરકાંઠાના વણઝારા વાસ પર બે વખત પથ્થર મારો થતાં વણઝારા વાસના સ્થાનિકો પોતાનો માલ સામાન લઈને બીજે સ્થળાંતર થઈ રહ્યાં છે. તેમાં વારંવાર હુમલા થઈ રહ્યા છે. નાના બાળકો અને સ્થાનિકમાં ભયનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે વણઝારા વાસમાં તોફાની ટોળા આમને-સામને આવી ગયા હતા. તેમાં હસનનગર વિસ્તારમાંથી પેટ્રોલ બોમ્બ ફેંકાયાની આશંકા છે. તેમાં પોલીસનો કાફલો તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યો હતો.
જો વાત કરીએ વિગતે તો સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં રવિવારે રામનવમીના પર્વે નીકળેલી રામલલ્લાની શોભાયાત્રા પર પથ્થરમારા તેમજ દુકાનો અને વાહનોમાં આગચંપીની ઘટનાઓ બાદ દિવસભર શાંતિ જોવા મળી હતી. જો કે દિવસ આથમવાની સાથે ફરીથી હિંસા ભડકી હતી. જેના કારણે પોલીસની કુમક ઘટના સ્થળે પહોંચી ગઈ છે.