Cyclone Biparjoy : અરબ સાગરમાં છેલ્લા કેટલાક દિવસથી ચકરાવો લઈ રહેલું બિપરજોય વાવાઝોડું આખરે ગુજરાતના દરિયા કિનારે ટકરાયું છે. પરંતુ બિપરજોયની આંખ હજુ ટકારાવાની બાકી છે. ગુજરાત હવામાન વિભાગના વૈજ્ઞાનિક વિજિન લાલે કહ્યું કે, બિપરજોય વાવાઝોડાની સેન્ટર આઈ ટકરાવાની બાકી છે. જેથી આગામી કેટલાક ખૂબ જ મહત્વના છે. આંખનો ડાયામિટર લગભગ 50 કિમીનો છે.
VIDEO | Gusty winds lash Mandvi in Gujarat as Biparjoy starts making landfall near Jakhau Port. #CycloneBiparjoy pic.twitter.com/kOzDVy7tvl
— Press Trust of India (@PTI_News) June 15, 2023
જો બિપરજોયની આંખ ટકરાશે તો શું થશે?
બિપરજોયનો વચ્ચેનો ભાગ ટકરાતા દરિયા કિનારાના વિસ્તારોમાં ભયંકર તારાજી જોવા મળશે. 150 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને સાથે ભારે વરસાદ પડશે.
#WATCH | Delhi:…"The main impact will be in Gujarat's Kachchh area and south area of Rajasthan. Heavy rains are expected and chances of flood are also there": Narendra Singh Bundela, IG, NDRF on #CycloneBiporjoy pic.twitter.com/CG5Ahi46Sx
— ANI (@ANI) June 15, 2023
લેન્ડફોલ ચાલુ છે, આગામી પાંચ કલાક ખૂબ મહત્વના
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાને લેન્ડફોલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કચ્છના માંડવીથી જખૌ બંદર સુધીના વિસ્તારમાં દરિયામાં તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે દ્વારકા, જામનગર, ગીર સોમનાથ, મોરબી, અને કચ્છમાં મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા ગયા છે.વૃક્ષોને પણ દૂર કરવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ કલાક ખૂબ મહત્વના છે. લેન્ડફોલની પ્રક્રિયા મોડી રાત સુધીમાં પૂર્ણ થશે.
આ પણ વાંચો
બિપરજોય વાવાઝોડાના રેડ એલર્ટ વચ્ચે આ છે રેલવેનો એક્શન પ્લાન, ઘણી ટ્રેનો રદ, જુઓ યાદી
14 દેશો, બે લાખ લોકોના મોત અને ચારેકોર વિનાશ… 19 વર્ષ પહેલા સુનામીની તબાહી જોઈને પણ સહન નહીં થાય
બિપોરજોય 12 વાગ્યા પછી રાજસ્થાન તરફ ફંટાશે
બિપરજોય ટકરાયા બાદ પાકિસ્તાન કે રાજસ્થાન તરફ ફંટાઈ જશે. જોકે સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના વિસ્તારોમાં વાવાઝોડાની અસર નહીંવત રહેશે