વધુ એક વિભાગમા ચૂંટણી પહેલા ગુજરાત સરકારે બદલીના આદેશ આપ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. આજે મહેસુલ વિભાગે વધુ 16 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. મળતી માહિતી મુજબ આ 16 પૈકી બે અધિકારીઓને પ્રમોશન અપાયુ છે.
થોડા દિવસો પહેલા મહેસુલ વિભાગે 7 ડેપ્યુટી કલેક્ટરોની બદલીના આદેશ આપપ્યા હતા જેમા આર.કે પટેલને સાણંદના પ્રાંત અધિકારી, તમન્ના ઝાલોડિયાને ગાંધીનગરમાં IORAમાં બદલી, જે.એમ વાઘેલાને ભાવનગરમાં ડેપ્યુટી DDO તરીકે નીમણૂક, ગૌરવ પંડયાને બનાસકાંઠાના ડેપ્યુટી DDO તરીકે જવાબદારી આપી હતી.
આ સિવાય દેવાંગ પંડયાને અબડાસાના પ્રાંત ઓફિસર, એચ એમ સોલંકીની ડેપ્યુટી DDO વડોદરા, એમ કે પ્રજાપતિને ડેપ્યુટી કલેકટર આણંદની જવાબદારી સોપવામા આવી હતી. આ સિવાય 23 સપ્ટેમ્બરે પણ 42 ડેપ્યુટી કલેક્ટરના ટ્રાન્સફર અને 26 મામલતદારોના ડેપ્યુટી કલેક્ટર તરીકે પ્રમોશન આપ્યા હતા.