રાજ્યમાં હવે શિયાળાએ વિદાય લીધી છે અને ઉનાળાની જેમ ગરમી પડી રહી છે. આ વચ્ચે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આ આગાહી મુજબ આવનારા બે દિવસમાં તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો વધારો થશે. ખા કરીને સૌરાષ્ટ્ર- કચ્છ અને અમદાવાદમાં કાળજાળ ગરમીનો અનુભવ થવાની શકયતા છે. હાલ રજ્યના તાપમાનમાં થયેલા વધારા અંગે વાત કરીએ તો 14 શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રી નોંધાયો છે.
આવનારા બે દિવસમાં તાપમાનમાં વધારો થશે
રાજકોટમાં 37.4 ડિગ્રી, સુરેન્દ્રનગર અને ભૂજમાં લઘુતમ તાપમાન 37.5 ડિગ્રી, મહુવા અને ડિસામાં લઘુતમ તાપમાન 36.6 ડિગ્રી નોંધાયુ છે. અમરેલીમાં 35.6 ડિગ્રી, તો પોરબંદર અને વલસાડમાં લઘુતમ તાપમાન 35.5, ગાંધીનગરમાં 35.4 ડિગ્રી, વલ્લભવિદ્યાનગરમાં 35.1 ડિગ્રી, નલિયામાં 34.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે. આ સિવાય કેશોદમાં 36.4 ડિગ્રી, સુરતમાં 36.2 ડિગ્રી, અમદાવાદમાં 35.9 ડિગ્રી, વડોદરામાં 35.8 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યુ છે.
આ વર્ષે ઉનાળો ઉગ્ર રહેશે
અંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ આ વર્ષે ઉનાળો ઉગ્ર રહેશે. ગરમીના તાપથી લોકો હેરાન થશે. જો કે હજુ ઠંડીનો એકાદ રાઉન્ડ આવે તેવી સંભાવના વ્યકત કરવામા આવી છે. હાલ રાજય્મા 3 સિઝનનો એક સાથે અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડા પવનો અને બપોરે ધોમ તડકો પડી રહ્યો છે. આ સાથે કમોસમી વરસાદ પણ અમુક વિસ્તારોમા પડી ચૂક્યો છે.
આખા 19 વર્ષ સુધી ચાલે છે શનિની મહાદશા! ભિખારીને પણ બનાવી દે રાજા, સમજો કે સુખની ચરમ ચીમા મળી જાય
કેવા છોકરા સાથે લગ્ન કરશે જયા કિશોરી? જયાએ પોતાના દિલની વાત કહી, આ વાતને સૌથી પહેલા ચેક કરશે
આ માહોલને કારણે વાઈરલ ઈન્ફેક્શનથી બીમારઓ પણ વધી છે. શરદી, ખાંસીનો કેસોમા સતત વધારો થઈ રહ્યો છે. અંબાલાલ પટેલે આગહી કરી છે કે 19 ફેબ્રુઆરી સુધીમાં ઠંડીનો પારો ઊંચકાઈને 17-18 ડિગ્રીએ જઈ શકે છે.