ગુજરાતમાં મેઘરાજાએ આડેધડ ધબધબાટી બોલાવી, આખા રાજ્યમાં ગાજવીજ તો ક્યાંક સાંબેલાધાર વરસ્યો

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

રાજ્યમા હાલ 3 ઋતુઓંનો અનુભવ એકસાથે થઈ રહ્યો છે. શિયાળાએ હવે ગુજરાતમાથી વિદાય લીધી છે અને આકરા તડકાઓની શરૂઆત થઈ ગઈ છે. આ વચ્ચે માવઠાની આગાહી કરવામા આવી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટ્રફની અસરથી રાજ્યમાં કમોસમી વરસાદ સંભાવના વ્યકત કરવામા આવી હતી. હવે હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખાબકયો હોવાના સમાચાર છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમા વરસાદ

ખાસ કરીને આ વરસાદના કારણે અમરેલીના ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે. અમરેલીમા ગઈ કાલે સાંજે ચોમાસા જેવો માહોલ જામ્યો હતો. ધોધમાર વરસાદ આવી પડતા રસ્તાઓ પર નદીઓ જેવા દૃશ્યો જોવા મળ્યા હતા. આ સિવાય અમદાવાદમાં વીજળીના ચમકારા સાથે ગાજવીજનો અવાજ સાથે ઠંડો પવન ફૂંકાયો હતો. કચ્છના રાપરથી સમાચાર છે કે વીજળી પડતા અહી એક યુવાનનું મોત થયું છે.

રાપરથી વીજળી પડતા યુવાનનું મોત થયું

આ 26 વર્ષીય યુવાનનુ નામ કિશોર રઘુભાઈ કોળી છે કે જાટાવાડા નજીક કારીધાર વાંઢમાં આ યુવાન ખેતરેથી ઘરે આવી રહ્યો હતો. આ દરમિયાન યુવાન પર વીજળી પડતાં તેની હાલત ગંભીર થઈ. જો કે, તેને તરત સારવાર માટે રાપર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો પણ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા

માહિતી મુજબ મૃતક યુવાનને ત્રણ વર્ષની અને દોઢ વર્ષની 2 દીકરીઓ છે. યુવાનના અચાનક મોતના સમાચાર બાદ પરિવાર શોકમા ડૂબ્યો છે. હવામાન વિભાગ દ્વારા આ પહેલા જ આગાહી કરવામા આવી હતી કે આવતા ત્રણ દિવસ માટે રાજ્યમા વરસાદ થવાની સંભાવના છે.

માવઠાને કારણે પાકોમાં નુકસાન

આ બાદ અમરેલીના ધારી ગીર વિસ્તારમાં બપોર બાદ સુખપુર, કાંગસા, ગોવિદપુર સહિતના ગામડામાં વરસાદ નોંધાયો. અહીના ખેડૂતોને આ માવઠાના કારણે મોટુ નુકશાન છે કારણ કે કેસર કેરી, ચણા, ઘઉં અને ધાણા સહિતના પાકો હવે તૈયાર થવાનો સમય છે. આ માવઠાને કારણે પાકોમાં નુકસાન જોવા મળી રહ્યુ છે.

ગુજરાત પોલીસની દેશી દારુના અડ્ડા પર તવાઈ: ભઠ્ઠીઓ પર ત્રાટકીને ભૂક્કા બોલાવ્યા, 49 તો મહિલા બુટલેગરો ઝડપાઈ

PHOTOS & VIDEO: અમદાવાદનું રેલવે સ્ટેશન હવે કંઈક આવું દેખાશે, જોઈને તમને એમ જ લાગશે જે સ્વર્ગમાં આવી ગયાં

‘ભાજપના નેતાઓને તમે ચપ્પલથી મારો…’ શ્રી રામ સેનાએ PM મોદીના નામ અને તસવીર પર કહી આવી વાત

મળતી માહિતી મુજબ ભાવનગરના વાતાવરણમાં પણ પલટો આવ્યો અને સાળંગપુર ઉમરાળા, વલભીપુર, પાલીતાણા, જેસર પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો. સુરેન્દ્રનગરના પાટડી પંથક, વઢવાણ અને સુરેન્દ્રનગરમા પણ વરસાદી ઝાપટા પડ્યા છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.


Share this Article
TAGGED: