Big News: CM ભુપેન્દ્ર પટેલ વડોદરા જવા રવાના, વડોદરા હરણી ખાતે મોટી દુર્ઘટના, ગોઝારી દુર્ઘટનામાં 14 બાળકોના મોતની આશંકા

Desk Editor
By Desk Editor
Share this Article

Vadodara Harani lake: વડોદરાના હરણી તળાવમાં પિકનિક પર ગયેલા વિદ્યાર્થીઓની બોટ પલટી ગઈ હતી. જેમાં 2 શિક્ષકો સહિત 12 વિદ્યાર્થીઓના મોત થયા છે. જ્યારે અન્ય 10 જેટલા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. આ સાથે સાત વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રારંભિક માહિતી અનુસાર, બોટમાં 4 શિક્ષકો સહિત 23 બાળકો હાજર હતા. ઉલ્લેખનીય છે કે હજુ પણ ઘણા લોકો ગુમ છે. પ્રાથમિક માહિતી અનુસાર વિદ્યાર્થીઓ શાળાની ટ્રીપ પર હરણી તળાવ પર આવ્યા હતા અને આ અકસ્માત થયો હતો. ઘટનાની જાણ થતાં જ કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ સિવાય NDRFની રેસ્ક્યુ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

આ મામલે વડોદરાના મેયર પિંકી સોનીએ જણાવ્યું હતું કે, પ્રવાસી બાળકો અને શિક્ષકોને લઈને જતી બોટ પલટી ગઈ છે. હોસ્પિટલમાં તૈયારીઓ કરવામાં આવી છે. બચાવ કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. એવું નોંધવામાં આવ્યું હતું કે બોટમાં ખાનગી શાળાના 27 વિદ્યાર્થીઓ અને શિક્ષકો હતા, જેમાંથી કોઈએ લાઇફ જેકેટ પહેર્યા ન હતા.

આ ઘટના પર મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. X પર લખ્યું કે, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.

વડોદરા શહેરના હરાણી તળાવનું સંચાલન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથેના કરાર મુજબ કોટિયા પેઢી દ્વારા કરવામાં આવે છે. ઘટના સમયે બોટમાં કુલ 23 બાળકો અને 4 શિક્ષકો સવાર હતા. VMC ફાયર વિભાગે તળાવ ખાતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. બાળકો ન્યૂ સનરાઇઝ સ્કૂલના હતા.

10 થી 11 વિદ્યાર્થીઓને બહાર કાઢ્યાઃ ફાયર ઓફિસર

Breaking News: વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીથી ભરેલી બોટ પલટી જતા હડકંપ મચી ગઇ, રેસ્ક્યૂ કામગીરી ચાલું

Vadodara: NDRF 1 ટીમ ઘટનાસ્થળે, 10 બાળકો, 2 ટીચરના મોત, હરણી તળાવમાં લાઈફ જેકેટ વગર બોટમાં જવાની કોણે પરવાનગી આપી?

Big Breaking વડોદરા હરણી તળાવને લઈને મોટી એપડેટ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા જવા રવાના, જલ્દીથી રેસ્કયૂના આપ્યા આદેશ

વડોદરાના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ કહે છે કે વડોદરા ફાયર વિભાગની તમામ 6 ટીમો મોટનાથ તળાવ પર પહોંચી ગઈ છે. બહાર કાઢવામાં આવેલા વિદ્યાર્થીઓને હવે જાનવી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 10 થી 11 બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. ફાયર વિભાગે તેમને સ્થળ પર સીપીઆર પણ આપ્યો હતો અને વિદ્યાર્થીઓને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા

 


Share this Article