શું વાંક એ માસુમ વિદ્યાર્થીઓનો…? હરણીના પાણી સામે ફૂલ જેવા બાળકો જંગ હાર્યા, તળાવમાંથી ખાલી કપડા જ મળ્યા…

Desk Editor
By Desk Editor
Share this Article

Vadodara News: હરણીના પાણી સામે ફૂલ જેવા બાળકો જંગ હારી ગયા છે. બચાવ કરનાર ટીમને તળાવમાંથી ડૂબી ગયેલા બાળકોના ખાલી કપડા જ મળ્યા છે. આ સમગ્ર ઘટનામાંથી પોતાને બચાવી લેનાર બાળકે આ ઘટનની સત્યતા જણાવી અને કઈ રીતે પોતાનો જીવ બચાવ્યો. આ બાળકોના માતા-પિતા ઉપર તો જાણો આભ ફાટ્યું હોય તેવો અનુભવ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડવામાં આવ્યા હતા, જેના કારણે બોટ પલટી મારી ગઈ હતી. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનામાં કુલ 14 લોકોના મોત થયા છે. જેમાં બે શિક્ષક અને 12 બાળક હોવાનું જાણવા મળી રહ્યું છે. તંત્રએ આ વિશે સત્તાવાર માહિતી આપી છે.

જાણો સમગ્ર મામલો…

વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના 23થી વધુ બાળકો શિક્ષકો સાથે મોટનાથ તળાવમાં પિકનીક પર આવ્યાં હતા પરંતુ બોટમાં ક્ષમતા કરતા વધારે બાળકોને બેસાડાયા હતા અને તેને કારણે તળાવના રાઉન્ડ વખતે બેલેન્સ ખોરવાતાં બોટ ઊંધી થઈ ગઈ હતી જેમાં 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા જોકે તાબડતોબ શરુ કરાયેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં 10 બાળકો અને 2 ટીચરને બચાવી લેવાયા હતા જ્યારે 12થી વધુ વિદ્યાર્થીઓના મોત થયાં હતા.

“અમે પાઈપ પકડીને ઉપર આવ્યા…” – મોતની મુખમાંથી બચી જનાર બાળકે કહી સમગ્ર ઘટના, તંત્રને શરમ આવવી જોઈએ!

આખરે કોણ છે મોતના સોદાગર? વડોદરામાં રુપિયાની તિજોરી ભરવા માટે 30 બાળકોને મોતના મુખમાં ધકેલ્યા….

તક્ષશિલા, મોરબી, ઇસ્કોન બ્રિજની ઘટનાથી કંઈ શીખી કે સરકાર? જાણો કોણ છે હરણી તળાવ દૂર્ઘટના બોટનો કોન્ટ્રાક્ટર? કોણ છે શાળાનો માલિક? જાણો વિગત

તંત્રની ઘોર બેદરકારીના કારણે વડોદરામાં જીવલેણ દુર્ઘટના ઘટી છે, ત્યારે ન્યૂ સનરાઈઝ શાળાના વિદ્યાર્થીઓની બોટ પલટી છે. જો કે, મોતનો આંકડો વધે તેવી આશંકા છે. બે શિક્ષકો સહિત કેટલાક વિદ્યાર્થીઓના મોત થયા છે. ત્યારે સ્કૂલની એક શિક્ષિકાએ દાવો કરતા જણાવ્યું છે કે, 82 જેટલા બાળકો હરણી તળાવની મુલાકાતે ગયા હતા. જેમાંથી બોટમાં 30 જેટલા લોકો સવાર હતા. પરંતુ દુર્ભાગ્યવશ અંગ્રેજી માધ્યમના બાળકો દુર્ઘટનાનો ભોગ બન્યા છે.


Share this Article