વડોદરા હરણી તળાવ: 5 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ, IPCની 304, 308 અને 337 હેઠળ નોંધાયો ગુનો, કેટલાક શખ્સોની અટકાયત

Desk Editor
By Desk Editor
Share this Article

Vadodara Harani Lake: વડોદરા બોટ દુર્ઘટના મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી ઘટનાસ્થળે આવી પહોંચ્યા છે. વધુમાં 5 આરોપીઓ સામે ગુન્હો નોધાયો છે. આ દર્દનાક દુર્ઘટનામાં બાળકો સહિત 14ના મોત થયા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તંત્રને કડક કાર્યવાહીના નિર્દેશ કર્યા છે. જેના ભાગરૂપે 5 આરોપીઓ સામે IPCની કલમ 304, 308 અને 337 હેઠળ ગુનો દાખલ કરાયો છે.

માતાપિતાને એવું હતું કે બાળકો મોજ મસ્તી કરતા હશે પણ મોત… વડોદરા શહેરના હરણી તળાવમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. આ ઘટના વડોદરા જ નહીં આખા ગુજરાત માટે ચિંતાજનક બાબત છે.

વડોદરા શહેરની ન્યુ સન રાઇઝ સ્કૂલના બાળકો હરણી તળાવમાં બોટિંગ માટે ગયા હતા. બાળકો સાથેની બોટ સાંજના સમયે પલટી ખાતા આ દુર્ઘટના ઘટી હતી. ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે એન.ડી.આર.એફ, ફાયર બ્રિગેડના જવાનો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ કરૂણ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત કુલ 14 લોકોના દુઃખદ મૃત્યુ થયા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરની એસ.એસ.જી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકોના ખબર અંતર પૂછ્યા હતા અને આ બાળકોને ઝડપી સારવાર મળે તે માટે તંત્ર વાહકોને સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ આ ઘટનાની તપાસ ઉચ્ચ કક્ષાએ જિલ્લા મેજિસ્ટ્રેટ વડોદરા દ્વારા કરવાનો આદેશ પણ કર્યા છે. તમને જણાવી દઈએ કે વડોદરાની આ ઘટનામાં મૃતકના પરિવારજનોને રાજ્ય સરકારે દ્વારા રૂ. 4 લાખ અને ઘાયલોને રૂ.50 હજારની સહાયની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે પણ મૃતકોના પરિવારજનોને રૂ. 2 લાખની સહાયની જાહેરાત કરી છે.

બોટમાં ક્ષમતા વધુ વિદ્યાર્થીઓને બેસાડ્યા હતા. લાઈફ જેકેટ વગર વિદ્યાર્થીઓને બોટમાં બેસાડ્યાનો દાવો કરવામાં આવ્યો છે. શ્રી કોટિયા પ્રોજેક્ટ્સ- પીપીપી ધોરણે 100 ટકા ઇજારદારના ખર્ચે પ્રોજેક્ટ થયો હતો. પરેશ શાહ નામના ઇજારદારે કોન્ટ્રાક્ટ લીધો છે. જે મોટું માથું છે. એકપણ બોટનું ઈન્સ્પેક્શન થયું નથી, અધિકારી પર પણ કાર્યવાહી થવી જોઈએ. બોટનો કોન્ટ્રાક્ટ પરેશે અન્ય વ્યક્તિને આપ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. પરેશ શાહે નિલેશ જૈનને એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. બોટિંગનો કોન્ટ્રાક્ટ નિલેશ જૈને અન્ય કોઈને આપ્યો હતો.

“અમે પાઈપ પકડીને ઉપર આવ્યા…” – મોતની મુખમાંથી બચી જનાર બાળકે કહી સમગ્ર ઘટના, તંત્રને શરમ આવવી જોઈએ!

આખરે કોણ છે મોતના સોદાગર? વડોદરામાં રુપિયાની તિજોરી ભરવા માટે 30 બાળકોને મોતના મુખમાં ધકેલ્યા….

તક્ષશિલા, મોરબી, ઇસ્કોન બ્રિજની ઘટનાથી કંઈ શીખી કે સરકાર? જાણો કોણ છે હરણી તળાવ દૂર્ઘટના બોટનો કોન્ટ્રાક્ટર? કોણ છે શાળાનો માલિક? જાણો વિગત

આ ટ્રેજેડીમાં સૌથી મોટો સવાલ એ છે કે લાઈફ જેકેટ વગર બાળકોને બોટમાં કેમ બેસાડાયા? બોટિંગ વખતે લાઈફ જેકેટ પહેરવું ફરજિયાત હોય છે તો પછી કેટલાક બાળકોને કેમ ન પહેરાવાયું. કોના વતી બેદરકારી રહી ગઈ હતી. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન થાય તે માટે ચેતવાની જરુર છે.

 


Share this Article