ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે. આવી સ્થિતિમાં દરેક પાર્ટી આ ચૂંટણી જીતવા માટે પ્રયાસ કરી રહી છે. કાલે સાંજથી ઈન્ટરનેટ પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક નાની છોકરી વડાપ્રધાન મોદી સાથે ભાજપ માટે પ્રચાર કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં છોકરી ગુજરાતી ભાષામાં ભાજપનું સમર્થન કરી રહી છે. હવે આ વીડિયોને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે.
भाजपा मतलब – विकास, विकास और सिर्फ विकास!
Hon'ble PM Shri @narendramodi Ji listens to the little girl as she takes over the election campaign of @BJP4Gujarat for a while today. pic.twitter.com/NaibYxtKoJ
— Sambit Patra (@sambitswaraj) November 21, 2022
વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતીના ગળામાં ભાજપનો દુપટ્ટો લટકાયેલો છે. આ નાની બાળકી વીડિયોમાં કહે છે, ‘BJP અમને બચાવશે, BJP ફરી આવશે‘. આ સાથે આ વીડિયોમાં યુવતીએ અયોધ્યામાં રામ મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત તમામ મુદ્દાઓ પર ભાજપની ઉપલબ્ધિઓ ગણાવી છે. જ્યારે આ છોકરી બોલી રહી હતી ત્યારે પીએમ મોદી પણ આ છોકરીની વાત ખૂબ ધ્યાનથી સાંભળી રહ્યા હતા.
ભાષણ સાંભળ્યા બાદ વડાપ્રધાન મોદીએ પણ બાળકીના વખાણ કર્યા અને તેના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે આ વીડિયો પર સવાલ ઉઠાવ્યા છે.
ટ્વીટ કરીને ભાજપ પર નિશાન સાધતા તેમણે લખ્યું કે વડાપ્રધાન દ્વારા ચૂંટણી પ્રચાર માટે એક નાના બાળકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. ચૂંટણી પંચ ક્યાં છે? નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) ક્યાં છે? આ વીડિયો પર પહેલો સવાલ કોંગ્રેસના સોશિયલ મીડિયા હેડ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.
કોંગ્રેસના સોશિયલ મીડિયા હેડ સુપ્રિયા શ્રીનેતે ટ્વિટ કરીને ભાજપને ઘેર્યુ છે. તેમણે લખ્યું કે રાજકારણમાં આ રીતે બાળકોનો ઉપયોગ થાય છે – વડાપ્રધાન મોદી ચૂંટણી પ્રચાર માટે નાની બાળકીનો ઉપયોગ કરી રહ્યા છે. આ સાથે તેમણે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સને ટ્વીટ કરીને સવાલ પૂછ્યો કે શું કુંભકર્ણ સૂઈ રહ્યો છે કે નહીં? હવે ચૂંટણી પંચને પત્ર નહીં લખે?
આ પછી ચૂંટણી પંચને ટેગ કરીને તેણે લખ્યું કે તેણે મોટુ સંજ્ઞાન લેવું જોઈએ. સુપ્રિયા શ્રીનેટના આ ટ્વીટને રીટ્વીટ કરતા જયરામ રમેશે સવાલો ઉઠાવ્યા હતા. તેમના સિવાય કોંગ્રેસ નેતા કન્હૈયા કુમારે પણ આ વીડિયોને લઈને ભાજપ પર નિશાન સાધ્યું હતું. કન્હૈયાએ લખ્યું, ‘રાહુલ ગાંધી સાથે ચાલતા બાળકોની NCPCRએ નોંધ લીધી… આજે તમે PMની બાળકો સાથેની તસવીર જોઈ… શું NCPCR ધ્યાનમા લેશે?’