સરકારના પેટનું પાણી નથી હલતું, બનાસકાંઠાના 125 ગામમાં પાણીના ફાંફાં, લોકો વિરોધ કરી-કરીને થાક્યા બાદ બોલ્યા-ભગવાન સરકારને સદબુદ્ધિ આપે

Lok Patrika
By Lok Patrika
Share this Article

બનાસકાંઠાના વડગામમાં આવેલા કરમાવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણીથી ભરવા માટેની માંગને લઈને ૧૨૫ ગામોના ખેડૂતોએ ગુરુવારે ‘ભગવાન સરકારને સદબુદ્ધિ આપે’ તે માટે દરેક ગામોમાં દીપ પ્રગટાવીને મહાઆરતી કરી હતી. આ પ્રસંગે અનેક મુસ્લિમ બિરાદરોએ ખાસ નમાજ અદા કરીને દુઆ કરી હતી. પાણીની માંગ સાથે દીવા પ્રગટાવવાના કાર્યક્રમ દરમિયાન જાણે એવું લાગી રહ્યું હતું કે ગામોમાં દિવાળી અને નવરાત્રી આવી ગઈ હોય. જાેકે, આ દીવાઓ સરકારને સંદેશો આપવા માટે પ્રગટાવવામાં આવ્યા હતા.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને વડગામ તાલુકાના ૧૨૫ ગામોના લોકોએ સરકારને સંદેશો આપવા માટે દીવા પ્રગટાવીને મહાઆરતીઓ કરી હતી. સાથે જ વિશેષ પૂજા કરીને સરકાર તેમની માંગ પર ધ્યાન આપે તેવી માંગણી કરી હતી. હાલ વડગામ અને પાલનપુર પંથકમાં પાણીની વિકટ સમસ્યા ઊભી થઇ છે. જેને લઈને છેલ્લા કેટલાય વર્ષોથી ખેડૂતો વડગામના કરમાવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવાની માંગ કરી રહ્યા છે.

ખેડૂતોની માંગ ન સ્વીકારતાં અઠવાડિયા પહેલા વડગામ અને પાલનપુરના ૧૨૫ ગામોના ૧૫ હજારથી વધુ ખેડૂતોએ મહારેલી યોજીને વિરોધ પ્રદર્શન કરીને કલેક્ટરને આવેદનપત્ર આપીને કરમાવત તળાવ ભરવાની માંગ કરી હતી. જાેકે, હજુ સુધી સરકાર તરફથી આ દિશામાં કોઈ યોગ્ય પગલાં ન ભરાતા ખેડૂતો ભારે રોષ જાેવા મળી રહ્યો છે. જેને લઈને ‘ભગવાન સરકારને સદબુદ્ધિ આપે’ તે માટે ગુરુવારે ૧૨૫ ગામોમાં ખેડૂતો, મહિલા પશુપાલકો અને લોકોએ ગામના મંદિરમાં સામુહિક દીપ પ્રગટાવીને મહાઆરતી કરી હતી.

સાથે જ ભગવાનને પ્રાર્થના કરી હતી કે ભગવાન સરકારને સદબુદ્ધિ આપે, જેથી સરકાર ખેડૂતોની વેદના સમજે અને પાણી આપે. ૧૨૫ ગામોના લોકોએ પણ પોતાના ઘરના આંગણામાં એક દીપ પ્રગટાવીને ખેડૂતોને સમર્થન આપ્યું હતું. આ પ્રસંગે અનેક ગામોના મુસ્લિમ બિરાદરોએ પણ પોતાના ગામની મસ્જિદમાં જઈને ખાસ સામુહિક ઈબાદત કરી હતી અને અલ્લાહતાલાને દુઆ કરી હતી કે અલ્લા સરકાર કો સદબુદ્ધિ ફરમાયે. આ રીતે પાણી વગર મુશ્કેલી ભોગવી રહેલા ખેડૂતોએ સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરી છતાં કોઈ જ પરિણામ ન આવતા હવે ખેડૂતો ભગવાનના શરણે ગયા છે. સાથે જ ખેડૂતોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઊચ્ચારી છે. હવે જાેવાનું રહ્યું કે દીવા પ્રગટાવો કાર્યક્રમ બાદ પણ સરકાર જાગે છે કે નહીં.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly