વરસાદને લઇને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. ત્યારે અંબાલાલના મતે ગુજરાતમાં આંધીનો પ્રકોપ રહી શકે છે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આંધીની ગુજરાતમાં અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમના મતે, એપ્રિલના અંત અને મેની શરૂઆત સુધી આંધી ધમરોળશે. 20 એપ્રિલ સુધી આંધી અને વંટોળનો પ્રકોપ રહી શકે છે. 20થી 25 એપ્રિલ સુધી રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેશે. જ્યારે 25, 26 એપ્રિલે રાજ્યમાં ફરી આંધીનો પ્રકોપ રહેશે. 10મી જૂન આસપાસ વરસાદ થવાની શક્યતા છે. 15થી 30મી જૂન સુધી સારો વરસાદ થવાની શક્યતા છે.
તો વળી અંબાલાલે જણાવ્યું છે કે, વરસાદ થવાનું પ્રમાણ ઓછું રહેવાની શક્યતા છે. મે માસમાં ગરમી ન પડે તો ચોમાસા પર અસર પડી શકે છે. જેના પગલે ખેડૂતોને સાવધાન રહેવાની જરૂર છે. કેમ કે, હજુ માવઠું આવી રહ્યું છે. અંબાલાલ અનુસાર, 20મી સુધી ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં કરા પણ પડી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન અનુસાર, 25 એપ્રિલથી 2 મે સુધી ‘કાળી આંધી’નો પ્રકોપ રહેશે. ‘કાળી આંધી’ પાકિસ્તાન તરફથી ગુજરાતમાં આવશે.
સૌથી સારા સમાચાર આવી ગયા, અક્ષય તૃતીયા પર મળશે મફતમાં સોનું, ફટાફટ આ રીતે લાભ લો
આ સાથે જ અંબાલાલે કહ્યું કે કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં ‘કાળી આંધી’ ફરી શકે છે. જ્યારે દિવેલા, બાગાયતી પાકો, કેરીના પાકને નુકસાન થઈ શકે છે. હવામાન વિભાગની સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ એપ્રિલ મહિના અંગે આગાહી કરી છે. અંબાલાલે આગાહીમાં જણાવ્યુ છે કે, આ મહિનામાં હવામાનમાં પલટા આવવાની શક્યતા છે. આ સાથે દેશના ઉત્તર ભાગમાં ભારે હિમવર્ષા અને વરસાદ થવાની શક્યતાઓ છે. મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને ગુજરાતમાં પણ વરસાદ થઈ શકે છે.