હાલમાં ગુજરાત અને ભારત માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે કે અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાત ‘બિપરજોય’ પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે. દરિયામાં આ વાવાઝોડું જે જગ્યાએ સર્જાયું છે, તેની બરાબર દક્ષિણે ચોમાસું અટકી ગયું હતું. તેથી જ હવે ચોમાસા માટે રસ્તો ખુલ્લો થઈ ગયો છે. હવામાન વિભાગે કહ્યું કે ચોમાસું આવતીકાલે એટલે કે 9 જૂને કેરળ પહોંચી શકે છે. ત્યારે જાણીએ કે વાવાઝોડા પહેલા, દરમિયાન અને પછી શું કામગીરી કરવી.
વાવાઝોડા પહેલાની તૈયારી
– રહેઠાણની મજબૂતીની ખાતરી કરી લો અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરો.
– સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો.
– આપના રેડીયો સેટને ચાલું હાલતમાં રાખો, ચકાસી લો.
– સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા પ્રયત્ન કરો.
– ઢોર-ઢાંખરને ખૂંટાથી છુટા કરી રાખો.
– માછીમારોએ દરિયામાં જવું નહીં, બોટ સલામત સ્થળે લાંગરવી.
– અગરિયાઓએ સલામત સ્થળે ખસી જવું.
– આશ્રય લઈ શકાય તેવા ઉંચા સ્થળો ધ્યાન રાખો.
– સુકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો.
– અગત્ય ટેલીફોન નંબર હાથ વગા રાખો.
વાવાઝોડા દરમિયાન તકેદારીના પગલા
– જર્જરીત મકાન કે વૃક્ષ નીચે આશ્રય ન લેવા માટે સમજ આપવી.
– રેડિયો પર સમાચાર સાંભળતા રહો અને સૂચનાઓનો અમલ કરો.
– વાવાઝોડા સમયે બહાર નીકળવાનું સાહસ કરવું નહીં.
– વાવાઝોડાના સમયે રેલ મુસાફરી કે દરિયાઇ મુસાફરી હિતાવહ નથી.
– વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા સલાહ આપી આપવી.
– દરિયા નજીક, ઝાડ નીચે કે વીજળીના થાંભલા કે લાઈનો નજીક ઊભા રહેશો નહીં.
– વીજળીના થાંભલાથી દૂર રહેવા સલાહ આપવી.
– માછીમારોને દરિયામાં જતા રોકવા અને હોડીઓ સલામત સ્થળે રાખવી.
– અગરિયાઓ અગરો છોડી સલામત સ્થળે આશરો લેવો.
– ખોટી અથવા અધૂરી જાણકારી વાળી માહિતી અર્થાત અફવા ફેલાવતી અટકાવો, આધારભૂત સૂચનાઓને અનુસરો.
વાવાઝોડા બાદ કરવાની કાર્યવાહી
– બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલીસ મ્યુનિસિપાલિટી કંટ્રોલરૂમ તથા તમામ અધિકારીઓની મદદ લેવી.
– અસરગ્રસ્તોની મદદ કરવી બચાવ કરવો, સલામત સ્થળે લઈ જવા.
– જરૂર પડે તબીબી સારવાર તાત્કાલીક મળી રહે તેવી વ્યવસ્થ
જરૂર પડે તબીબી સારવાર તાત્કાલીક મળી રહે તેવી વ્યવસ્થા કરવી.
– ભારત સરકારશ્રીના હવામાન ખાતા તરફથી મળતી આગાહીઓ અને અનુસરવું તથા સતત સંપર્કમાં રહેવું.
– અસરગ્રસ્તોને જરૂરી મદદ ઉપલબ્ધ કરાવવી
આ પણ વાંચો
આ માણસને 12 પત્નીઓ, 102 બાળકો, 578 પૌત્રો, બાળકોના નામ ભૂલી જાય છે, ક્યારેય કોન્ડોમ નથી વાપર્યું
RBIએ સતત બીજી વાર આપ્યા સૌથી સારા સમાચાર, સાંભળીને કરોડો બેંક ગ્રાહકો ખુશ થઈ ગયા
નોંધ – ગુજરાતમાં રાજ્યના પશ્ચિમ કાંઠે આવેલા સૌરાષ્ટ્ર અને કચ્છ સૌથી વધુ વાવાઝોડા સંભવિત વિસ્તારો છે, વેરાવળ, પોરબંદર, જામનગર, દ્વારકા, ઓખા, કંડલા, ભાવનગર અને અન્ય લઘુ બંદર ચોક્કસપણે અસર પામે છે જ.
યાદ રાખો, આપત્તિ પરતત્વેની તમારી સજાગતા અને સતર્કતા વિનાશકારી વાવાઝોડાની અસરને હળવી કરે છે.