શુ BJPમાં જોડાવાના છે આ એંધાણ? ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કરી વલ્લભ કાકડીયા સાથે મુલાકાત

Lok Patrika
By Lok Patrika
Share this Article

ખોડલધામના ચેરમેન નરેશ પટેલ કોંગ્રેસમાં જાેડાશે કે અન્ય કોઈ પાર્ટીમાં તેણે લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ એક મોટો ઉલટફેર થતાં નરેશ પટેલના રાજકીય ભવિષ્યને લઈને પરિસ્થિતિઑ થોડી ઘણી સ્પષ્ટ થતી દેખાઈ રહી છે. એક બાજુ પ્રશાંત કિશોરે ભડાકો કર્યા બાદ હવે નરેશ પટેલના રાજકીય ભવિષ્યનું શું થશે તેના પર મોટો સવાલ ઊભો થયો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા હાલ નરેશ પટેલ અને હાર્દિક પટેલને લઈને અનેક નવા નવા સમાચારો મળી રહ્યા છે.

નરેશ પટેલને લઈને ઘણા દિવસોથી કોકળું ગૂંચવાયેલું છે. ત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ખોડલધામમાં નરેશ પટેલ અને વલ્લભ કાકડીયા વચ્ચે મુલાકાત થઈ હોવાની ચર્ચાએ જાેર પકડ્યું છે. સોશિયલ મીડિયામાં આ બેઠકનો એક ફોટો વાયરલ થયો છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, નરેશ પટેલ અને વલ્લભ કાકડીયા વચ્ચે મુલાકાત થઈ હોવાની ચર્ચા રાજકીય સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

સૂત્રો જણાવી રહ્યા છે કે વલ્લભ કાકડીયા સાથે ભાજપના ૩ થી ૪ અન્ય ધારાસભ્ય હોવાની વાત પણ જણાવવામાં આવી છે. જ્યારે વલ્લભ ભાઈ કાકડીયા ખોડલધામ દર્શન માટે આવ્યા હોવાની વાત સામે આવી છે, સાથે શુભેચ્છા મુલાકાત હોવાની ચર્ચા કરી હોવાનું જણાવવામાં આવી છે. નરેશ પટેલ ખોડલધામથી નીકળતા સમયે વલ્લભ કાકડીયા દર્શન માટે આવતા મુલાકાત થઈ હોવાની વાત જણાવી છે., નરેશ પટેલના અનેક રાજકીય પાર્ટી સાથેના જાેડાવાની ચર્ચા થઈ છે.

પહેલા ભાજપ, કોંગ્રેસ અને આપમાં નરેશ પટેલ જાેડાશે તેવા દાવા અનેકવાર થયા છે. પરંતુ નરેશ પટેલે અત્યાર સુધી કોઈને મચક આપી નથી. નરેશ પટેલ પાટીદાર મત બેંકમાં મોટું પ્રભુત્વ ધરાવે છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ તાજેતરમાં નરેશ પટેલ સાથે મુલાકાત કરી ચૂક્યા છે, પરંતુ નરેશ પટેલ કઈ પાર્ટીમાં જશે તેનો તેઓ ફોડ પાડતા નથી. દરેક રાજકીય પાર્ટી તેમને પોતાના પક્ષમાં લેવા આતુર છે. અનેકવાર નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશના સંકેતો મળ્યા છે. પરંતુ તેમણે અત્યાર સુધી કોઈ પણ પાર્ટીને સમર્થન કર્યુ નથી.

ઉલ્લેખનીય છે કે, ખોડલધામના ચેરમેન નરેશ પટેલ કોંગ્રેસમાં જાેડાશે કે અન્ય કોઈ પાર્ટીમાં તેણે લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ એક મોટો ઉલટફેર થતાં નરેશ પટેલના રાજકીય ભવિષ્યને લઈને પરિસ્થિતિઑ થોડી ઘણી સ્પષ્ટ થતી દેખાઈ રહી છે. એક બાજુ પ્રશાંત કિશોરે ભડાકો કર્યા બાદ હવે નરેશ પટેલના રાજકીય ભવિષ્યનું શું થશે તેના પર મોટો સવાલ ઊભો થયો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રણનીતિકાર પ્રશાંત કિશોરના હાથમાં બોગડોળ આપવામાં આવી હતી અને તેઓ કોંગ્રેસમાં જાેડાશે તેવી અટકળો ચાલી રહી હતી.

પ્રશાંત કિશોરે કોંગ્રેસની ઓફરને ઠુકરાવી દીધી હતી અને તેઓ કોંગ્રેસમાં નહીં જાેડાય. પીકેના ભરોસે કોંગ્રેસમાં જાેડાવા માગતાં નરેશ પટેલનું રાજકીય ભાવિ પણ અદ્ધરતાલ થઈ ગયું છે. ખોડલધામ અને સમાજના સર્વેમાં પણ નરેશ પટેલને રાજનીતિમાં ના જાેડાવાનું તારણ સામે આવ્યું છે, ત્યારે આગામી સમયમાં હવે નરેશ પટેલ શું ર્નિણય લેશે તે જાેવું રહ્યું.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly