હાલમાં સમગ્ર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક ઓછા-વત્તે બિપરજોય વાવાઝોડની અસર જોવા મળી રહી છે. સોમનાથમાં 6 મકાન ધરાશયી થયા તો અનેક જિલ્લામાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે. તો વળી અમદાવાદમાં હાલમાં વાતાવરણ ખુલ્લુ છે પરંતુ પવનની ગતિ કંઈક હટકે છે. લોકોને વાહન ચલાવવામાં પણ તકલીફ પડી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. તો વળી પવનની ગતિના કારણે વૃક્ષો પણ હિલ્લોળે ચડ્યા છે.
આ બધાની વચ્ચે એક એ પણ જોવા મળ્યું છે કે પવનની આટલી ગતિ હોવા છતાં અમદાવાદમાં ઉંચાઈઓ પર અને રસ્તા પર લગાવેલા હોર્ડિંગ્સ હતા ત્યાં જ લટકી રહ્યાં છે. કોઈએ પણ હજુ હોર્ડિંગ્સ કાઢ્યા નથી. જો વાત કરીએ સૌરાષ્ટ્ર અને કચ્છની તો ત્યાં કોસ્ટ એરિયામા ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો
દ્વારકા પર નહીં આવે બિપરજોય વાવાઝોડાનું સંકટ! મંદિરમાં એકસાથે ચડાવાઇ બે ધજા, જાણો ચોંકાવનારું કારણ
વહીવટી તંત્રએ દરિયાકાંઠાની નજીક રહેતા લોકોને કોઈ પણ દુર્ઘટનાથી બચવા સાવધાન રહેવાની સુચના આપી દીધી છે. સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કચ્છમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આ સાથે જ હાલમાં માહિતી મળી રહી છે કે કચ્છમાં 100થી વધારે હોર્ડિંગ્સ પણ નીચે ઉતારી લેવામાં આવ્યા છે.