તોડકાંડમાં યુવરાજસિંહના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. તોડકાંડમાં 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમા ભાવનગર જિલ્લા કોર્ટે જામીન મંજૂર કર્યા છે. આ અગાઉ પાંચ આરોપીઓને શરતી જામીન મળ્યા છે.
આ પહેલા ભાવનગરમાં તોડકાંડમાં શિવુભા ગોહિલના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. ભાવનગર કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા હતા, નિલમબાગ પોલીસ મથકમાં એક કરોડ રૂપિયાનાં તોડકાંડમાં સંડોવણી હોવાની ફરિયાદ થઇ હતી.
તોડકાંડમાં 6 શખ્સો વિરુધ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે 5 લોકોના જામીન મંજૂર થયા હત અને હવે તોડકાંડમાં યુવરાજસિંહના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. તોડકાંડમાં 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમા ભાવનગર જિલ્લા કોર્ટે જામીન મંજૂર કર્યા છે. આ અગાઉ પાંચ આરોપીઓને શરતી જામીન મળ્યા છે
જેમાં ઘનશ્યામ લાધવા, કાનભા ગોહિલ, બિપીન ત્રીવેદી, રાજુના જામીન દેશ નહીં છોડવા અને પોસપોર્ટ જમા કરાવવો તે શરતે જામીન આપ્યા હતા જ્યારે રમેશ બારૈયાએ આગોતરા જામીન મુકતા તેના પણ મંજુર કરાયા છે. જો કે ઉલ્લેખનીય છે કે ભાવનગર કોર્ટે શિવુભાના શરતી જામીન મંજૂર કર્યા છે. શિવુભા ગોહિલે 15 હજારના બોન્ડ અને ગુજરાત બહાર જવા માટે કોર્ટની મંજૂરી લેવાની શરતે જામીન મેળવ્યા છે. આ સાથે શિવુભાને પોતાનો પાસપોર્ટ પણ કોર્ટમાં જમા કરાવવો પડશે.
તોડકાંડમાં પોલીસે 90 દિવસ પછી કોર્ટમાં યુવરાજસિંહ વિરુદ્ધ 900 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી તેમ જાણવા મળ્યું હતું. સવાલ એ થાય કે આ 900 પાનામાં પોલીસે ક્યાં ક્યાં પૂરાવા રજૂ કર્યા છે ? આ ચાર્જશીટમાં પોલીસે આરોપીઓ સામેના પૂરાવા અને સાક્ષીઓ ત્યા રજૂ કર્યાં છે. આ કેસમાં કુલ 128 સાક્ષીના નામ આપવામાં આવ્યા છે. જેમાંથી 17 સાક્ષીના 164 મુજબના નિવેદન નોંધવામાં આવ્યા છે.
ભાવનગરમાં ડમીકાંડ મામલે નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસ તપાસમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે યુવરાજસિંહનાં સાળા શિવુભા ગોહિલે કોર્ટમાં જામીન અરજી મુકી હતી. ત્યારે ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટે શિવુભા ગોહિલનાં શરતી જામીન મંજૂર કર્યા હતા અને હવે આખરે યુવરાજ સિંહના પણ કોર્ટે જામીન મંજુર કરી દીધા છે.