હવે તો ઉદ્ધવ સરકારનું પતી જ ગયું! ધારાસભ્યો બાદ હવે શિવસેનાના સાંસદ સભ્યો પણ ગમે ત્યારે છેડો ફાડી નાખશે, શિંદે 18માંથી 14 સાથે સીધા સંપર્કમાં

Lok Patrika
By Lok Patrika
Share this Article

મહારાષ્ટ્રમાં ફાટી નીકળેલી રાજકીય લડાઈ હવે ઘણી આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકાર મહા વિકાસ અઘાડી (MVA) સાથે સંબંધ તોડવાની માગણી કરતા ધારાસભ્યોના બળવાના કારણે પહેલેથી જ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. હવે શિવસેના પર ઉદ્ધવનો અંકુશ પણ સરકી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. શિવસેનાના બળવાખોર જૂથના નેતા એકનાથ શિંદેની સોય હવે સત્તા પછી પાર્ટી તરફ જતી જોવા મળી રહી છે.

સત્તા માટે શરૂ થયેલો સંઘર્ષ હવે પાર્ટીના કબજામાં આવતો જોવા મળી રહ્યો છે. શિવસેનાના 18માંથી 14 સાંસદ બળવાખોર જૂથના સંપર્કમાં હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ શિવસેનાના 18માંથી 14 સાંસદ બળવાખોર જૂથના નેતા એકનાથ શિંદેના સંપર્કમાં છે. એકનાથ શિંદેની આગેવાની હેઠળના બળવાખોર જૂથે પહેલાથી જ 40 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. હવે જો પાર્ટીના 18માંથી 14 સાંસદો પણ શિંદેના જૂથમાં જોડાય છે તો ઉદ્ધવ ઠાકરે માટે શિવસેના પર નિયંત્રણ જાળવી રાખવું મુશ્કેલ બનશે.

જો આમ થશે તો શિવસેનાના ઝંડા અને પ્રતીક પર એકનાથ શિંદેની આગેવાની હેઠળના બળવાખોર જૂથનો દાવો મજબૂત થશે. બદલાયેલી પરિસ્થિતિમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ બપોરે 2.30 વાગ્યાથી કેબિનેટની બેઠક બોલાવી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યપાલ ઉદ્ધવ ઠાકરેને વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે કહી શકે છે. ઉદ્ધવ ઠાકરેની મુખ્યમંત્રીની ખુરશી મુશ્કેલીમાં છે એટલું જ નહીં, બાળાસાહેબની શિવસેના પરનો તેમનો અંકુશ પણ નબળો પડી રહ્યો છે. મહારાષ્ટ્રમાં સત્તા સંઘર્ષ પૂરો થયા બાદ બળવાખોર ધારાસભ્યોનું જૂથ શિવસેનાના ચૂંટણી ચિન્હ અને ઝંડાનો દાવો કરી શકે છે.

નિષ્ણાતો કહે છે કે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ કોઈપણ કાર્યવાહીથી બચવા માટે બળવાખોર જૂથને ઓછામાં ઓછા 37 શિવસેના ધારાસભ્યોનું સમર્થન સાબિત કરવું પડશે. જો બળવાખોર ધારાસભ્યો પોતાનું સમર્થન સાબિત કરવામાં અસમર્થ હોય તો તેમની સામે પક્ષપલટા વિરોધી કાયદાની જોગવાઈઓ અનુસાર કાર્યવાહી થઈ શકે છે. જો બળવાખોર જૂથ 37 ધારાસભ્યોનું સમર્થન સાબિત કરે છે, તો પછી તેઓ પાર્ટીના પ્રતીક અને ઝંડાનો દાવો કરી શકે છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly