આંદામાન-નિકોબાર ટાપુઓમાં રિક્ટર સ્કેલ પર 6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આંદામાન અને નિકોબારમાં આ વર્ષે આ ત્રીજો મોટો ભૂકંપ છે. આ અંગે માહિતી આપતાં જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સીસ (GFZ)એ જણાવ્યું કે શનિવારે આંદામાન અને નિકોબારના ટાપુઓમાં 10 કિલોમીટરની ઊંડાઈએ 6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
જ્યારે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભૂકંપ 69 કિ.મી. ની ઊંડાઈએ આવ્યા હતા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે શનિવારે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં રિક્ટર સ્કેલ પર 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ પોર્ટ બ્લેરથી લગભગ 126 કિમી દક્ષિણપૂર્વમાં આવ્યો હતો.
આ વર્ષની શરૂઆતમાં આંદામાન અને નિકોબાર ટાપુઓના આંદામાન સમુદ્રમાં 4.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપ 77 કિમીની ઊંડાઈએ આવ્યો હતો. આ સિવાય આ ટાપુઓ પર બીજો ફટકો આ વર્ષે માર્ચમાં નિકોબાર ક્ષેત્રમાં આવ્યો હતો.
અત્યારે શાકભાજીના ભાવ ઘટે એવું સપનું પણ ન જોતા, રિપોર્ટ જોઈ લો એટલે બધી આશા પર પાણી ફરી વળશે
આજે ગુજરાત સહિત 24 રાજ્યોમાં આંધી તોફાન સાથે વરસાદ ખાબકશે, હવામાનની નવી આગાહીથી લોકો ચારેકોર સાવધાન
આ ભૂકંપની તીવ્રતા 5 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે ભૂકંપ 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. બીજી તરફ, ગયા વર્ષે, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 24 કલાક દરમિયાન 3.8ની તીવ્રતાથી 5ની તીવ્રતાના 22 ભૂકંપનો અનુભવ થયો હતો.