ત્રિપુરાના ઉનાકોટીમાં બુધવારે એક મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. ઘાયલોની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે હાઈ-ટેન્શન વાયરના સંપર્કમાં આવવાને કારણે આ અકસ્માત થયો હતો. પોલીસે જણાવ્યું કે ભગવાન જગન્નાથની ‘ઉલ્ટા રથયાત્રા’ ઉત્સવ દરમિયાન સાંજે 4.30 વાગ્યે કુમારઘાટ વિસ્તારમાં આ ઘટના બની હતી. આ દર્દનાક અકસ્માતમાં છ લોકોના મોત થયા છે જ્યારે 15 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. જણાવી દઈએ કે રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન દેવી સુભદ્રા સાથે રથયાત્રાના એક અઠવાડિયા પછી તેમના મુખ્ય મંદિર પરત ફરે છે.
6 dead, 15 injured as Rath catches fire after coming in contact with high-tension wire in Tripura's Unakoti district: Police
— Press Trust of India (@PTI_News) June 28, 2023
33 KV વાયર ઓવરહેડ કેબલના સંપર્કમાં આવ્યો હતો
પોલીસે જણાવ્યું કે હજારો લોકો રથને ખેંચી રહ્યા હતા, જ્યારે તે 133 KV ઓવરહેડ કેબલના સંપર્કમાં આવ્યો. સહાયક મહાનિરીક્ષક (કાયદો અને વ્યવસ્થા) જ્યોતિષમાન દાસ ચૌધરીએ જણાવ્યું કે તમામ ઘાયલોની સારવાર નજીકની હોસ્પિટલમાં ચાલી રહી છે. તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
Rs. 2 lakh ex-gratia from PMNRF would be given to the next of kin of each deceased and Rs. 50,000 would be given to those injured in the mishap in Tripura: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 28, 2023
પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, વળતરની જાહેરાત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલોના જલદી સ્વસ્થ થવાની કામના કરી હતી. વડાપ્રધાન કાર્યાલયે ટ્વીટ કરીને આ જાણકારી આપી. આ સાથે, પીએમઓએ મૃતકોના નજીકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.
OMG! ભારતીય મહિલાઓ પાસે ઘરના કબાટમાં છે 100 લાખ કરોડનુ સોનુ, વિશ્વની ટોચની 5 બેંકો કરતાં પણ વધારે
સીએમ માણિક સાહાએ શોક વ્યક્ત કર્યો હતો
જણાવી દઈએ કે ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ છ લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, કુમારઘાટ વિસ્તારમાં આ ઘટના ખૂબ જ દુઃખદ છે. ‘ઉલ્ટા રથ’ ખેંચતી વખતે વીજ કરંટ લાગવાથી ઘણા ભક્તોના મોત થયા હતા જ્યારે ઘણા ઘાયલ થયા હતા. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. આ મુશ્કેલ સમયમાં રાજ્ય સરકાર તેમની સાથે છે.