PM કિસાન સન્માન નિધિના લાભાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સારા સમાચાર છે. અત્યાર સુધી તમને પીએમ કિસાન યોજના હેઠળ વાર્ષિક 6,000 રૂપિયા મળતા હતા. તો હવે તમારી પાસે 6 હજાર સાથે વાર્ષિક 36,000 રૂપિયા મેળવવાની તક છે. અને સૌથી મહત્વની વાત એ છે કે તમારે આ માટે કોઈ દસ્તાવેજ આપવાના રહેશે નહીં. ચાલો જાણીએ તેની સંપૂર્ણ પ્રક્રિયા. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માગો છો તો PM કિસાન માનધન યોજના (PM kisan Man dhan Yojna Benefits) હેઠળ ખેડૂતોને દર મહિને પેન્શન આપવામાં આવે છે. આ યોજના હેઠળ, 60 વર્ષની ઉંમર પછી, ખેડૂતોને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે એટલે કે પ્રતિ વર્ષ 36000 રૂપિયા. વાસ્તવમાં મોદી સરકાર આ રકમ ખેડૂતોને આર્થિક મદદ માટે આપે છે.
આ છે જરૂરી દસ્તાવેજો
જો તમે પણ આ યોજના માટે અરજી કરવા માંગો છો, તો તમારે કેટલાક દસ્તાવેજોની જરૂર પડશે, જેમ કે આધાર કાર્ડ, બેંક ખાતાની વિગતો વગેરે.
જો તમે પીએમ કિસાનનો લાભ લઈ રહ્યા છો, તો તમારે આ માટે કોઈ વધારાના દસ્તાવેજ જમા કરાવવાની જરૂર નથી.
18 વર્ષથી 40 વર્ષ સુધીના ખેડૂતો આ યોજનામાં રોકાણ કરી શકે છે.
આમાં, રોકાણની રકમ વય અનુસાર નક્કી કરવામાં આવી છે.
આ યોજનાનો લાભ કેવી રીતે મેળવવો?
- 18 થી 40 વર્ષની વય વચ્ચેનો કોઈપણ ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે.
- આ માટે ખેતીલાયક જમીન વધુમાં વધુ 2 હેક્ટર સુધીની હોવી જોઈએ.
- આમાં, ઓછામાં ઓછા 20 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ સુધીના ખેડૂતોએ ખેડૂતની ઉંમરના આધારે માસિક રૂ. 55 થી રૂ. 200નું રોકાણ કરવું પડશે.
- 18 વર્ષની ઉંમરે જોડાનાર ખેડૂતોએ 55 રૂપિયાનું માસિક યોગદાન ચૂકવવું પડશે.
- જો ખેડૂતની ઉંમર 30 વર્ષ છે, તો તેણે 110 રૂપિયા જમા કરાવવા પડશે.
- જો તમે 40 વર્ષની ઉંમરે જોડાઓ છો, તો તમારે દર મહિને 200 રૂપિયા જમા કરાવવા પડશે.