BREAKING: ગુજરાતી યાત્રાળુઓની બસને ગંગોત્રી હાઈવે પર નડ્યો અકસ્માત,7 શ્રદ્ધાળુઓના મોત, 27 ઘાયલ, CM ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

India News: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર ગંગનાની પાસે એક પેસેન્જર બસને અકસ્માત નડ્યો હતો. આ બસમાં 35 મુસાફરો હોવાનું કહેવાય છે, જેમાંથી ઓછામાં ઓછા 7 યાત્રાળુઓના મોત થયા હતા. આ અકસ્માતમાં 27 મુસાફરો ઘાયલ થયા છે.આ તમામ મુસાફરો ગુજરાતના રહેવાસી હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવ્યું હતું કે તીર્થયાત્રીઓથી ભરેલી આ બસ ગંગોત્રીથી મુસાફરી કરીને પરત ફરી રહી હતી, ત્યારે રસ્તામાં એક પહાડી પાસે તેનો અકસ્માત થયો હતો. ઘટનાની માહિતી મળતા જ વહીવટીતંત્ર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

અકસ્માત બાદ એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે, જ્યારે 27 ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ ઘટના ઉત્તરકાશી ગંગોત્રી નેશનલ હાઈવે પર ગંગનાની નજીક બપોરે 3 વાગ્યાની આસપાસની છે.

પોલીસ અધિક્ષક અને જિલ્લા મેજિસ્ટ્રેટ પણ સ્થળ પર હાજર છે.અકસ્માત અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે, ‘ગંગોત્રી ઉત્તરકાશી બાજુથી આવી રહેલી પેસેન્જર બસ નંબર UK07PA-8585 ગંગોત્રી નેશનલ હાઈવે પર ગંગનાની પાસે અકસ્માતનો ભોગ બની હતી. કારમાં લગભગ 32-33 લોકો સવાર હોવાનું કહેવાય છે. 27 ઘાયલોને બચાવીને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

અકસ્માત અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે, ‘ગંગોત્રી ઉત્તરકાશી બાજુથી આવી રહેલી પેસેન્જર બસ નંબર UK07PA-8585 ગંગોત્રી નેશનલ હાઈવે પર ગંગનાની પાસે અકસ્માતનો ભોગ બની હતી. કારમાં લગભગ 32-33 લોકો સવાર હોવાનું કહેવાય છે. 27 ઘાયલોને બચાવીને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.ઉત્તરાખંડ માં રવિવારે પ્રવાસી બસ ખીણમાં પડી જવાથી સર્જાયેલી દુઘર્ટનામાં ગુજરાતના જે પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે અને ઇજાગ્રસ્ત થયા છે તેમની વિગતો અને જાણકારી માટે રાજ્ય સરકાર ઉત્તરાખંડ સરકારના રાહત કમિશનર ના સતત સંપર્કમાં છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે આ અકસ્માત અંગે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ઉત્તરાખંડમાં બસ ખીણમાં પડવાના લીધે ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો તે કરુણ ઘટનાથી વ્યથિત છું. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ગુજરાત સરકાર આ ઘટનાને લઈને ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં છે. ઇજાગ્રસ્ત નાગરિકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.

રાજ્યના રાહત કમિશનર આલોક પાંડેએ આ અંગેની વિગતો આપતા કહ્યું છે કે પ્રાથમિક માહિતી પ્રમાણે સાત ગુજરાતી પ્રવાસીઓ ના મૃત્યુ થયા છે અને 27 જેટલા પ્રવાસીઓ ઘાયલ થયા છે.ઉત્તરાખંડ રાજ્યના એસ. ડી આર એફ ની બચાવ ટુકડીઓ બચાવ રાહત કામગીરીમાં જોડાઈ છે અને ઇજાગ્રસ્ત પ્રવાસીઓ ને વધુ સારવાર માટે ઋષિકેશ લઈ જવાની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.તેમણે જણાવ્યું છે કે જે પ્રવાસીઓના મૃત્યુ થયા છે તેમની વિગતો મેળવવા ઉત્તરાખંડ સરકાર સાથે ગુજરાત સરકાર સંપર્ક માં છે.

આણંદ કલેક્ટરનો રંગીન મિજાજ જાણીને નાયબ મામલતદારે પ્લાન બનાવ્યો, મહિલાને તૈયાર કરી કેમેરા ગોઠવી વીડિયો બનાવ્યો, પછી…

રજનીકાંતનો ભાજપ પ્રેમ ઉભરીને છલકાયો, CM યોગીને પગે લાગ્યો, મોદી-શાહની જોડીને અર્જૂન-કૃષ્ણ સાથે સરખાવી….

જ્વેલરી ખરીદનારા હવે ચિંતા ન કરતા, સોના ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણી લો મોજ આવે એવા નવા ભાવ

ઉત્તરાખંડના રાહત કમિશનર પાસેથી મેળવેલી પ્રાથમિક માહિતી મુજબ આ ભાવનગરની એક ખાનગી ટ્રાવેલ્સની બસ દ્વારા આ 33 જેટલા પ્રવાસીઓ ઉત્તરાખંડ ગયા હતા અને ત્યાંથી સ્થાનિક ખાનગી પ્રવાસી બસ મારફતે આગળનો પ્રવાસ કરતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.ઉત્તરાખંડમાં રવિવારે સર્જાયેલી બસ દુર્ઘટનાના ગુજરાતી પ્રવાસીઓની જાણકારી અને વિગતો માટે રાજ્ય સરકારના ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ના ફોન 079 23251900 પર સંપર્ક કરી શકાશે તેમ રાહત કમિશનરશ્રી આલોક પાંડે એ જણાવ્યું છે.


Share this Article