પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં સીતલકુચીમાં બીજેપીના વિરોધ પ્રદર્શન દરમિયાન અનેક દેશ નિર્મિત બોમ્બ વિસ્ફોટ થયા હતા. ભાજપના કાર્યકરોને ઈજા થઈ હોવાના અહેવાલ છે. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થિતિ હવે સામાન્ય થઈ રહી છે.
તાજેતરમાં ED અને CBI દ્વારા પાડવામાં આવેલા દરોડા સંદર્ભે ભાજપના કાર્યકરોએ વિરોધ કર્યો હતો. ભાજપ અને પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ એકબીજા પર આક્ષેપો કર્યા છે.
તૃણમૂલે ભાજપના આરોપોને નકારી કાઢ્યા છે. બીજેપી જિલ્લા પ્રમુખ સુકુમાર રોયે કહ્યું, “અમે કૂચ બિહારના સીતલકુચી વિસ્તારમાં એક વિશાળ વિરોધ રેલી યોજી હતી. વિવિધ કૌભાંડોમાં કથિત રીતે સંડોવાયેલા ટીએમસી નેતાઓની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી હતી. રેલી દરમિયાન ટીએમસીના કાર્યકરોએ પથ્થરમારો શરૂ કર્યો હતો અને ધડાકા થયા. આ હુમલામાં ભાજપના બે કાર્યકરો ઘાયલ થયા હતા.
ટીએમસી સાંસદ શાંતનુ સેને કહ્યું, “ભાજપ કાર્યકર્તાઓની રેલી પર હુમલો એ એક બહાનું છે… તેમની રેલીઓમાં કોઈ લોકો નથી તેથી તેઓ લાઇમલાઇટમાં રહેવા માટે આવા આરોપો લગાવી રહ્યા છે.” ટીએમસીએ બીજેપીની રેલી પર હુમલો કરવાની જરૂર નથી કારણ કે તે એક સ્વ-વિનાશક પાર્ટી છે. ટીએમસીને તેની સાથે કોઈ લેવાદેવા નથી. અમે નહીં, ભાજપ ભડકાવવાનું કામ કરે છે.