જ્યારે રાવણનો ભાઇ બલિ ચઢાવવા માટે રામ-લક્ષ્મણને પાતાળ લોક લઈ ગયો… ત્યારે હનુમાજીએ કઇક આ રીતે છોડાવ્યા હતા

Desk Editor
By Desk Editor
Share this Article

Religion News: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલાના અભિષેકની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ દિવસને યાદગાર બનાવવાની તૈયારીઓ દેશમાં જ નહીં વિદેશમાં પણ ચાલી રહી છે. ભગવાન રામ સાર્વત્રિક છે. મોરેશિયસ, નેપાળ, ઇઝરાયેલ સહિત ઘણા મુસ્લિમ દેશોમાં પણ ભગવાન રામની પૂજા કરવામાં આવે છે. ઘણા દેશોમાં એવા પુરાવા છે જે સાબિત કરે છે કે હજારો વર્ષોથી ત્યાં ભગવાન રામની પૂજા કરવામાં આવે છે. પરંતુ અહીં રામ, લક્ષ્મણ અને હનુમાન સાથે જોડાયેલો રામાયણની એક ઘટના તમારા સમક્ષ લાવ્યા છીએ.

અહિરાવણ રામ-લક્ષ્મણની બલી ચઢાવવા જ્યારે પાતાળ લોક લઇ ગયો…

રામાયણમાં એવું વર્ણન છે કે રાવણનો ભાઈ અહિરાવણ રામ-લક્ષ્મણનું અપહરણ કરીને દેવીને બલી ચઢાવવા પાતાળલોક ગયો હતો પરંતુ હનુમાને ત્યાં પહોંચીને અહિરાવણને મારી નાખ્યો અને તેમના પુત્ર મકરધ્વજને શ્રી રામ પાસે પાતાળલોકનું રાજ અપાવ્યું હતું. રામાયણમાં જે હોંડુરાસનો ઉલ્લેખ છે જે મધ્ય અમેરિકાના જંગલમાં આવેલું છે. આ વાતની પુષ્ટિ 2015 અને 2016માં લખનઉની સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સાયન્સના ડાયરેક્ટર પ્રોફેસર ભરત રાજ સિંહે કરી હતી. ત્યારે આ બાબત પણ ખુબ જ લોકપ્રિય હતી. આ પછી, અમેરિકાના ઘણા વૈજ્ઞાનિકો માનતા હતા કે મધ્ય અમેરિકાના હોન્ડુરાસમાં એક જંગલ છે, જ્યાં આદિવાસીઓ હનુમાનની પૂજા કરે છે. અમેરિકન સંશોધક થિયોડોર મોર્ડેએ પણ 1940માં આ જ વાત કહી હતી. તેમણે અમેરિકાના એક મેગેઝિનમાં દાવો કર્યો હતો કે અહીંના લોકો મંકી ગોડની પૂજા કરે છે.

હનુમાનજીએ પાતાળ લોક કેવી રીતે શોધ્યું?

પ્રોફેસર ભરત રાજ સિંહે બંગાળી રામાયણમાં શોધી કાઢ્યું હતું કે જ્યારે અહિરાવણ રામ- લક્ષ્મણને લઈને બલિ આપવા પાતાળ લોક જાય છે ત્યારે હનુમાન 70 હજાર યોજન પાર કરીને એક ટનલ દ્વારા પાતાળ લોક સુધી પહોંચે છે જે હાલમાં મધ્ય પ્રદેશમાં છે. મધ્ય પ્રદેશમાં એક જંગલ છે જેને પાતાળ લોકનું જંગલ કહેવામાં આવે છે અને અહીં એક સુરંગ છે. કહેવાય છે કે આ દ્વારા રામ ભક્ત હનુમાન પાતાલ લોક પહોંચ્યા હતા.

Live Ayodhya Ram Mandir: રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની 16 ધાર્મિક વિધિઓ થોડા સમયમાં થશે શરૂ, આવવા લાગ્યા VIPs

રોજ રાત્રે શિવલિંગ પાસે દીવો પ્રગટાવવાથી થાય છે ચમત્કાર, જીવનમાં બનશે શાંતિના યોગ, કેવી રીતે કરશો વિધાન?

મનની ઈચ્છા પુરી કરવા અપનાવો આ 4 ઉપાયો, ગણતરીના દિવસોમાં સારું અને શુભ ફળ મળી જ જશે!

આ 70 હજાર યોજન (એક યોજના 8 માઇલ અથવા 12.8 કિ.મી.ની હોય છે) અનુસાર, જ્યારે તેમણે પૃથ્વીની જાડાઈ માપી અને મધ્ય પ્રદેશના આ ભાગથી સીધું સંશોધન કર્યું, ત્યારે તેમને જાણવા મળ્યું કે આ સંપૂર્ણ 70 હજાર યોજન મધ્ય અમેરિકાના હોંડુરાસના મસ્કતિયામાં જાય છે અને આ રીતે હનુમાને ત્યાં પહોંચીને ભગવાન રામ અને લક્ષ્મણને છોડાવ્યાં હતા.

 


Share this Article