નસીબ આડે પાંદડુ….. મહારાષ્ટ્રની રાજકીય કટોકટીની વચ્ચે CM ઉદ્ધવ ઠાકરે બરાબરના ભીંસમા, એક બાજુ શિંદે અને બીજી બાજુ હવે….

Lok Patrika
By Lok Patrika
Share this Article

મહારાષ્ટ્રની રાજકીય કટોકટીની વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ચારે બાજુથી ઘેરાયેલા છે. શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે સતત પાર્ટી પર પોતાની પકડ મજબૂત કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો છે કે, શિવસેનાના ૪૦ ધારાસભ્યો તેમની સાથે છે. આ સિવાય ઘણા અપક્ષ ધારાસભ્યો પણ તેમની તરફેણમાં છે. તેથી હવે શિવસેનામાં ભાગલા પડવાની શક્યતા છે. આવી સ્થિતિમાં હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, પાર્ટીના ચિહ્ન અને ઝંડાને લઈને પણ વિવાદ શરૂ થઈ શકે છે.
કહેવામાં આવી રહ્યું છે કે, એકનાથ શિંદે જુથ હવે શિવસેનાના ‘ધનુષ્ય અને બાણ’ ચિહ્ન પર દાવો કરવાની તૈયારી કરી રહ્યું છે. સાથે જ આ મામલો ટૂંક સમયમાં ચૂંટણી પંચ સુધી પહોંચી શકે છે. આખરે પાર્ટી સિમ્બોલનો કાયદો શું છે? શું અન્ય જૂથ તેના પર કબ્જાે કરી શકે છે. ચાલો તેને વિગતવાર સમજીએપ. તમને જણવી દઈએ કે, ચૂંટણી પંચ રાજકીય પાર્ટીઓને માન્યતા આપે છે અને ચૂંટણી ચિહ્ન પણ ફાળવે છે.

ચૂંટણી ચિહ્નો (આરક્ષણ અને ફાળવણી) ઓર્ડર ૧૯૬૮ મુજબ તે પાર્ટીની ઓળખ અને ચૂંટણી ચિહ્નની ફાળવણી સાથે સંબંધિત છે. કાયદા અનુસાર, જાે રજિસ્ટર્ડ અને માન્યતા પ્રાપ્ત રાજકીય પાર્ટીના ૨ જૂથો ચિહ્નોને લઈને અલગ-અલગ દાવા કરે છે તો ચૂંટણી પંચ તેના પર અંતિમ ર્નિણય લે છે. આ અંગે આદેશની કલમ ૧૫માં વિગતવાર માહિતી આપવામાં આવી છે.

જ્યારે એક જ પાર્ટીના બે જૂથો એક જ ચિહ્ન માટે દાવો કરે છે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચ બંને છાવણીને બોલાવે છે. બંને પાર્ટી પોતપોતાની દલીલો કરે છે. ત્યારબાદ આયોગ દ્વારા ર્નિણય લેવામાં આવે છે પરંતુ યાદ રાખો કે ચૂંટણી પંચનો ર્નિણય કોઈપણ સંજાેગોમાં પાર્ટીના જૂથોએ સ્વીકારવો પડશે. વિવાદના મામલામાં ચૂંટણી પંચ પ્રાથમિક રીતે પાર્ટીના સંગઠન અને તેની વિધાનસભા વિંગ બંનેમાં દરેક જૂથના સમર્થનનું મૂલ્યાંકન કરે છે.

તે રાજકીય પક્ષની અંદરની સર્વોચ્ચ સમિતિઓ અને ર્નિણય લેતી સંસ્થાઓની ઓળખ કરે છે. સાથે જ તે જાણવાનો પ્રયત્ન કરે છે કે, કયા જૂથમાં કેટલા સભ્યો કે અધિકારીઓ પરત ફર્યા છે ત્યારબાદ દરેક શિબિરમાં સાંસદો અને ધારાસભ્યોની સંખ્યાની ગણતરી કરે છે. જાે ચૂંટણી પંચ જૂથ નક્કી કરવામાં અસમર્થ હોય તો તે પાર્ટીના ચિહ્નને સ્થિર કરી શકે છે. ત્યારબાદ બંને જૂથોને નવા નામ અને ચિહ્ન સાથે ફરીથી નોંધણી કરવા માટે કહી શકાય. જાે ચૂંટણી નજીક છે તો જૂથોને કામચલાઉ ચિહ્ન પસંદ કરવા માટે કહી શકાય છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly