Chandrayaan-3: ચંદ્રયાન-3ની (Chandrayaan-3) સફળતા બાદ આખી દુનિયા ચંદ્રને આશાની નજરે જોઈ રહી છે. આ મૂન મિશને સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવ અપાવ્યું છે. તમામ મોટી હસ્તીઓ હજી પણ ભારતના આ મિશન વિશે ચર્ચા કરી રહી છે. દેશના દિગ્ગજ બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ (Anand Mahindra) પણ ઈસરોની સફળતા પર ખુશી વ્યક્ત કરતા અનેક ટ્વીટ કર્યા છે. આ વખતે તેમણે એક ખાસ વીડિયો શેર કરીને ઈસરોનો આભાર માન્યો છે.
આનંદ મહિન્દ્રાએ (Anand Mahindra) રવિવારે એક એનિમેટેડ વીડિયો શેર કરીને બધાને ચોંકાવી દીધા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ચંદ્રની સપાટી પર એક લેન્ડર ઉભું છે. અને આ લેન્ડરથી મહિન્દ્રા કંપની થાર-ઈ લેન્ડિંગ (Thar-e Landing) કરી રહી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
Thank you @isro for giving our ambitions a ‘lift-off.’ One day, in the not too distant future, we will shoot for the Thar-e touching down next to Vikram & Pragyan and ‘Exploring the Impossible!’ (🙏🏽 @BosePratap for putting together this meme) pic.twitter.com/SRtbDUiiQh
— anand mahindra (@anandmahindra) September 3, 2023
આનંદ મહિન્દ્રાએ 10 સેકન્ડના આ એનિમેટેડ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, ‘થેન્ક યુ ઈસરો.. અમારી મહત્વાકાંક્ષાઓને ઉડાન આપવા બદલ આભાર. ભવિષ્યમાં એક દિવસ આપણે વિક્રમ અને પ્રજ્ઞાનની સાથે જ ચંદ્રની સપાટી પર થર-ઇને ઉતરતા જોઈશું!
ચંદ્રયાન-3ના રોવર ‘પ્રજ્ઞાન’એ ચંદ્રની સપાટી પર પોતાનું કામ પૂર્ણ કરી લીધું છે અને હવે તે સુષુપ્ત (સ્લીપ મોડ) અવસ્થામાં આવી ગયું છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ શનિવારે આ માહિતી આપી હતી. થોડા કલાકો પહેલા જ ઈસરોના વડા એસ સોમનાથે કહ્યું હતું કે ચંદ્રયાન-3નું રોવર અને લેન્ડર ચંદ્ર પર મોકલવામાં આવ્યું છે તે યોગ્ય રીતે કામ કરી રહ્યું છે અને ચંદ્ર પર મોડી રાત થવાની હોવાથી તેને “નિષ્ક્રિય” કરવામાં આવશે.
આ કૃષ્ણ મંદિરમાં દિવસમાં 10 વખત અન્નકૂટ ધરવામાં આવે, ન ધરો તો મુર્તિ દુબળી થઈ જાય, ભગવાન પોતે ખાય!
આટલી રાશિના લોકો અત્યારથી જ તિજોરીમાં જગ્યા ખાલી કરી દેજો, આજથી ગુરૂ ગ્રહ અપાર ધનની વર્ષા કરશે
ઇસરોએ ‘એક્સ’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “રોવરે પોતાનું કામ પૂર્ણ કરી લીધું છે. હવે તેને સુરક્ષિત રીતે ‘પાર્ક’ કરવામાં આવ્યું છે અને નિષ્ક્રિય (સ્લીપ મોડ) સ્થિતિમાં સેટ કરવામાં આવ્યું છે. APXS અને LIBS ‘પેલોડ્સ’ બંધ છે. આ પેલોડ્સનો ડેટા લેન્ડર દ્વારા પૃથ્વી પર પ્રસારિત થાય છે, “તેમણે જણાવ્યું હતું.